ખજૂર ના આ ફાયદાઓ જાણી ને ચોકી જસો

Health

ખજૂરનું નામ લેવાની સાથે જ મોં માં પાણી આવી જાય છે.ખજૂર ખાવા માં જેટલા મીઠા હોય છે એટલાજ આપણાં શરીર માટે ફાયદા કારક હોય છે .ખજૂર માં ફાયબર નું પ્રમાણ ભરપૂર માત્ર માં હોય છે અને પોષક તત્વોનો ભંડાર છે .ખજૂર ને બધી ભાષા માં અલગ અલગ રીતે ઓરખવા માં આવે છે. જેવાકે અરબી માં તવારીક અને ફ્રેંચ માં પામીયર અને અંગેજી માં ડેટ્સ કહેવામા આવે છે . શું તમે જાણો છો ખજૂર ના જાડની ઊંચાઈ ખુબજ વધારે હોય છે . તેના પત્તા ની લંબાઈ 10 થી 15 ફૂટ હોય છે.

સૌ પ્રથમ વાર ખજૂરની ખેતી ઈરાક માં થઈ હતી . ત્યાર બાદ વિશ્વના બીજા દેશો માં ચાલુ થઈ હતી. લીલી ખજૂર ઓગસ્ટ થી ડિસેમ્બર મહિના સુધી મળે છે. વીશ્વમાં 100 થી પણ વધારે પ્રકાર ની ખજૂર મળી આવે છે.

100 ગ્રામ ખજૂર મા પાણી 21.32, શક્તિ 277, કાર્બોહાઈડરેટ 74.97, પ્રોટીન 1.81, ફેટ 0.15, કોલેસ્ટ્રોલ 74.97, ફાઈબર 6.7, અને શુગર 66.47 હોય છે. આના સિવાય મિનરલ્સ પણ ખજૂર માથી મળી આવે છે. રોજ 4-5 ખજૂર ખાવા થી શરીર ની ઇમ્યુનિટી માં વધારો થાય છે .

જે લોકોને કબજિયાત ની તકલીફ હોય તેવા લોકો ખાલી પેટ 4-5 ખજૂર ખાવાથી પેટ સાફ થાય છે. અને કબજિયાતની તકલીફ ઓછી થાય છે. દૂધ અને ખજૂરને એકસાથે ખાવાથી શરીર ની કમજોરી દૂર થાય છે. જેને પગમાં દુખાવો હોય તેવા લોકો એ 1 કપ ગ્રામ દુધમાં એક ચમચી ગાય નું ધી અને એક ચમચી ખારેકનો પાઉડર દૂધ માં નાખી ગરમ દુધ પીવાથી શક્તિ મળશે .

મોટા ભણી મહિલાઓને પગ માં દુખાવો કમર માં દુખાવો ની તકલીફથી પીડાતી હોય છે .તેવી મહિલાઑ એ ખજૂર સાથે એક ચમચી મેથી પાણીમાં ઉકાળી પીવાથી રાહત મળે છે . લોહીમાં iron નું પ્રમાણ ઓછું હોય તેવા લોકો એ રોજ ખજૂર ખાવાથી iron ના પ્રમાણ માં વધારો થાય છે. અને એવું પણ માનવમાં આવે છે. કે ખજૂર ખાવાથી કફ ની તકલીફ દૂર થાય છે

ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *