દોસ્તો તમને ખબર હશે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે.ભારતમાં કૃષિ સાથે ખેડૂતો પશુપાલન વ્યવસાય પણ કરતા હોય છે.ખેડૂતો પશુપાલન વ્યવસાય માંથી આજે ધનવાન બન્યા છે.ગાય એક એવું પ્રાણી છે જે પોતાના જીવનકાળ દરમિયાન મનુષ્યને ઘણું બધું આપતું હોય છે.ગાય એ આપેલી દરેક વસ્તુ નો ઉપયોગ કરવામાં આવે છે.ગાયને ગાય માતા તરીકે પણ પૂજવામાં આવે છે.હિન્દૂ ધર્મ ગાયને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.આજે ભારત માં ગાયને લઈને ઘણા વિવાદો ચાલતા હોય છે.ગાયમાં એક કરોડ દેવી દેવતાનો વાસ હોય તેમ માનવામાં આવે છે.જયારે તમે ગાયની પૂજા કરો ત્યારે એક કરોડ દેવી દેવતાની પૂજા કરી હોય તેમ મનાય.તમે મિત્રો ઘણા મનુષ્યની અંતિમ યાત્રા જોઈ હશે પણ કોઈ દિવસ ગાય માતાની અંતિમ યાત્રા જોઈ હશે નહીં
ગાયનું મૃત્યુ થવાથી ગાયની ઢોલ નગાડા વગાડી અંતિમ યાત્રા નીકરવામાં આવી.ગાયનું મૃત્યુ થવાથી આખા ગામા માતમ છવાઈ ગયો હતો જેમ કોઈ મનુષ્ય મૃત્યુ પામે અને શોક હોય તેવો શોકનો માહોલ ગામ લોકોમાં જોવા મળ્યો હતો.
આ કિસ્સો ભાવનગર જિલ્લાના તોતનિયારા ગામા ગુરુવારના દિવસે ગાયમાતાનું મૃત્યુ થવાથી ઢોલ નગાડા વગાડી ગાય માતાની અંતિમ યાત્રા નીકરવામાં આવી હતી.આ ગાય પાછલા એક દાયકાથી વિવાણી નહતી તો પણ તે દૂધ આપતી હતી આ ગાયને કામધેનુ ઉપનામ પણ પાડવામાં આવ્યું હતું.આ ગાય એક પરિવારના સભ્ય હોય તેમ પરિવારમાં ભરી ગઈ હતી.આ ગાય એ પોતાનું આખું જીવન અજીતસિંહ ના પરિવારને સમર્પિત કરી દીધું હતું.
ગાયને દસ વર્ષ સુધી અજીતસિંહ અમરસિંહ ના પરિવારે ગાયનું નિધન થતા ગાયની અંતિમ યાત્રા નિકારી હતી.ગાયની અંતિમ યાત્રામાં આખું ગામ હાજર હતું દરેક લોકોમાં શોકની લાગણી હતી.આ ગાય અજીતસિંહ ના પરિવારમાં દસ વર્ષ થી હતી.જેમ દૂધમાં સાકર ભરી જાય તેમ ગાય તેમના પરિવારમાં ભરી ગાય હતી.ગાયના નિધન થવાથી તેમનો પરિવાર ખુબ દુઃખી હતો.
અજીતસિંહ અમરસિંહ ના પરિવારે આ ગાયની એક દાયકા જેટલી સેવા કરી.ગાય વિવાણી નહતી તો પણ તે દૂધ આપતી હતી.આ એક ચમત્કાર કહેવાય આજે લોકો પોતાના ઘરે પશુનું મૃત્યુ થઇ જાય તો તેને યાદ પણ નથી રાખતા ત્યારે આ પશુપાલન પ્રેમી એ ગાયની અંતિમ યાત્રા નીકરીને સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું છે.