રાજકોટ ના પરિવારે ખોડલ ધામમાં પાંચ તોલા સોનાનો હાર માતાજીને અર્પણ કર્યો આજે પણ ભક્તોને પોતાના ભગવાન ઉપર ખુબ શ્રદ્ધા રહેલી છે.ભક્તોને પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે પોતાના દેવી દેવતાના દર્શન અર્થે મંદિરમાં પહોંચી જતા હોય છે.

Uncategorized

આજે પણ ભક્તોને પોતાના ભગવાન ઉપર ખુબ શ્રદ્ધા રહેલી છે.ભક્તોને પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે પોતાના દેવી દેવતાના દર્શન અર્થે મંદિરમાં પહોંચી જતા હોય છે.ઘણા ભક્તો પોતાનું કામ પૂરું કરવા માટે ની માનતા રાખતા હોય છે તે કામ પૂર્ણ થાય એટલે રાખેલી માનતા પુરી કરતા હોય છે આજે પણ દેવી દવતા ઉપર પોતાની બધી માલ મિલ્કત આપવા તૈયાર હોય છે.

રાજકોટના એક પરિવારની મનોકામના પૂર્ણ થતા ખોડલધામ વસેલા માં ખોડલના ચરણોમાં પાંચ તોલાનો હાર અર્પણ કરે છે.આ પરિવાર રાજકોટના જેતપુરમાં રહે છે.તેમને પોતાના પિતાની ઈચ્છા અનુસાર પાંચ તોલાનો હાર અર્પણ કરે છે.રાજકોટના પરિવારને માં ખોડલમાં ખુબ શ્રદ્ધા રહેલી છે.તેમનો પરિવાર પોતાના દરેક શુભ કાર્યમાં માં ખોડલને યાદ કરે છે.આ પરિવાર રોજ માં ખોડલની પૂજા કરે છે.

રાજકોટના આ પરિવારના કહેવા મુજબ તેમને માં ખોડલમાં ખુબ શ્રદ્ધા રહેલી છે.તેમના પિતાની એક ઈચ્છા રહેલી હતી તે આ પરિવાર માં ખોડલ ના ચરણોમાં પાંચ તોલાનો હાર અર્પણ કરીને તે ઈચ્છા પૂર્ણ કરે છે સ્વ રામજીભાઈ કોરાટનો પરિવાર માના દરબારમાં જઈ હાર અર્પણ કરે છે

સ્વ રામજીભાઈ કોરાટનો આખો પરિવાર ખોડલધામ વાજતે ગાજતે પહોંચે છે.ત્યાં તેમને ત્યાંના ટ્રસ્ટ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આ પરિવાર ખોડલ ધામ ધ્વજા ચડાવીને પોતાની માનતા પુરી કરે છે અને માતાજીને વાઘા પણ અર્પણ કર્યા હતા

આ હાર માતાજીને અર્પણ કરીને માં ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા તેમના પિતાની ઈચ્છા પૂર્ણ કરી ખુબ ધન્યતા અનુભવે છે તેમનો આખો પરિવાર ખુબ ખુશ હતો માં ખોડલ તેમના દરેક કર્યો સફળ બનાવે તેમને ખુબ ખુશ થઈને માતાજીને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *