કળિયુગ નો પ્રકોપ : પુત્ર એ પિતા ની હત્યા કરી ને મૃત દેહ દાટી દીધો ગોબર ગેસ ના ખાડા ની અંદર, જુઓ તસવીરો

ગુજરાત

રાજ્યમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે પોરબંદરના રાણાવાવના સિમ વિસ્તારમાં પુત્ર દ્વારા પિતાની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. રાણાવાવના જરૂડી સીમ વિસ્તારમાં રહેતા લાખા દુદા બાપોદરા નામના અગ્રણીની તેના પુત્રએ કોદાળી વડે હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, 25-08-2022ની મોડી રાત્રે બે વાગ્યે મૃતક લાખાભાઈ દારૂ પીને પોતાના ઘરે આવ્યા હતા, જ્યાં તેમની પત્ની અને પુત્રોએ પૈસા બાબતે મારપીટ કરી હતી. લાખાભાઈએ તેમની પુત્રીની સગાઈ માટે તેમના સાસરિયાઓએ આપેલા દાગીનાની માંગણી કરી હતી, જે તેમની પત્ની અને પુત્રોએ આપી ન હતી,

જેના કારણે લાંબી બોલાચાલી થઈ હતી. લાંબો સમય બોલાચાલી થતાં તેમના પુત્ર વિજયે બાજુમાં પડેલી કોદાળી લઇ માથામાં મારતાં લાખાભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પિતાની હત્યા કર્યા બાદ વિજયે લાશને ઘરની બાજુમાં આવેલી વાડીમાં ગોબર ગેસના ખાડામાં દાટી દીધી હતી.

આ ઘટનાના બે દિવસ બાદ આરોપી વિજયના ભાઈએ પોરબંદરમાં રહેતા લાખાભાઈના પિતા દાદુભાઈને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. દાદુભાઈએ તાત્કાલિક રાણાવાવ પોલીસ મથકે જઈને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. મૃતકના પિતાએ આપેલી માહિતીની ખરાઈ માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી

અને ઘટનાની ગંભીરતાને જોતા પોરબંદર ગ્રામ્ય નાયબ અધિક્ષક, એફએસએલ અને રાણાવાવ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મામલતદાર, એફએસએલ અને પંચોની હાજરીમાં પોલીસે મૃતક લાખાભાઈની લાશને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપવામાં આવી હતી.

આ સમયે આરોપી તેના ઘરે હાજર હતો અને પોલીસે તેની પૂછપરછ કરી હતી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. સમગ્ર ઘટના અંગે રાણાવાવ પોલીસે આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધી કસ્ટડીમાં લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *