પૃથ્વી શો ને ટીમ ઇન્ડિયા માં જગ્યા ન મળતાં ફેન્સ નો બાટલો સટક્યો, અને પછી પૃથ્વી ભાઈ એ પણ કરી નાખી આવી પોસ્ટ…

ક્રિકેટ

ભારતીય ટીમ 2022ના અંતમાં ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. ન્યુઝીલેન્ડ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે સીરીઝ રમશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ માટે ટીમોની જાહેરાત કરી છે. પૃથ્વી શૉને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. જે બાદ લોકો સોશિયલ મીડિયા પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે.

આ સિવાય પૃથ્વી શૉ પણ ઘણો નિરાશ જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કર્યા બાદ પૃથ્વી શૉએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ શેર કરી હતી. આ સ્ટોરીમાં સાઈ બાબાનો ફોટો શેર કરતા પૃથ્વીએ લખ્યું, ‘આશા છે કે તમે બાબા બધું જોઈ રહ્યા છો.

ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શોને અગાઉ દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પૃથ્વી શોએ તાજેતરમાં સ્થાનિક ક્રિકેટમાં સારો દેખાવ કર્યો છે. જેના કારણે તે ટીમમાં સ્થાન ન મળવાથી નિરાશ છે. આ સિવાય ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. આ સાથે તેઓ પસંદગીકારોના પ્રદર્શન પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

અભિનવ યાદવે પૃથ્વી શૉનો ફોટો ટ્વીટ કર્યો છે. આ સાથે તેણે પૃથ્વી શૉની કારકિર્દીના આંકડાઓની યાદી પણ શેર કરી. અભિનવે લખ્યું કે પૃથ્વી શૉ કરતા પણ ખરાબ પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને ઘણી તકો મળી છે, આવા ખેલાડીઓ સતત ફ્લોપ રહ્યા છે, પરંતુ હજુ પણ આવા ઘણા ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પૃથ્વી શૉ સાથે અન્યાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *