શું તમે જાણો છો હિન્દૂ ધર્મમાં ખોરાક ખાવાના નિયમો વિષે? જાણો તે નિયમોના ફાયદાઓ વિષે. ફાયદા જાણીને તમે પણ તેને અનુસરતા થઇ જસો.

Health

વિશ્વમાં ઘણા ધર્મો આવેલા છે અને દરેક ધર્મને પોત પોતાના અલગ અલગ રીત રિવાજો હોય છે. મોટેભાગે લોકો તેનું પાલન કરવાનો પ્રયાસ કરતા હોય છે. ઘણીવાર સમય સંજોગ એવા થતા હોય છે તો તેનું પાલન નથી થઇ શકતું. તેવી જ રીતે હિન્દૂ ધર્મમાં પણ ખોરાક ખાવાના નિયમો હોય છે.

શ્રીમદ ભગવદ ગીતામાં ભીષ્મ પિતામહે અર્જુનને આવી રીતે ન ખાવાનું કહ્યું હતું, તમે નીચે ભોજન કરવા બેઠા હોવ અને તમારી થાળી ઉપર થઇને કોઈ નીકળે તો તેમાં ભોજન ન કરવું જોઈએ. બીજું કે તમે જે ખોરાક ખાવા બેઠા છો તે પ્લેટમાં વાળ પડેલ હોય તો તે ખોરાક ન ખાવો જોઈએ. તે સિવાય તમને પીરસવામાં આવેલ પ્લેટમાં કોઈની ઠોકર વાગી જાય તો તે ખોરાક બગડેલા ખોરાક સમાન કહેવાય.

એવું કહેવાય છે કે પતિના જમ્યા બાદ પત્ની તે થાળીમાં ભોજન કરે છે અથવા પતિનો બચેલો ખોરાક ખાય છે તો તેને ચાર ધામના પુણ્યનું ફળ મળે છે. જો બે ભાઈઓ હળીમળીને એક જ થાળીમાં ખાતા હોય તો તેને અમૃતપાન કહેવાય છે. તેવું કરવાથી બે ભાઈઓ વચ્ચેના સબંધ બજબુત બને છે.

જો ઘરમાં કુંવારી પુત્રી હોય અને તે તેના પિતા સાથે એક જ થાળીમાં ભોજન લેતી હોય, તો તે પિતા ક્યારેય અકાળે મૃત્યુ પામતો નથી. તેના પાછળ એક કારણ રહેલું છે કે, પુત્રી તેના પિતાનું અકાળ મૃત્યુને છીનવી લે છે. એટલે દીકરી જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી તેને તેના પિતા જોડે બેસીને ભોજન કરવું જોઈએ. આવી રીતે ભોજન કરવાથી પરિવારમાં સંપ જળવાઈ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *