શાસ્ત્ર અને ગ્રંથમાં મહાલક્ષ્મીનો આશીર્વાદ મેળવવાનો વિવિધ ઉપાય બતાવ્યા છે. આજે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છીએ જેને આપ રોજ સવારે કરશો તો દેવી લક્ષ્મીની કૃપા સદૈવ આપના પર બની રહેશે અને દરિદ્રતા નો પડછાયો પણ નહીં રહે.
દેવી લક્ષ્મી નો મંત્ર જ નહીં પણ તેમના શુંગારનો સમાન પણ પૂજનીય માનવામાં આવે છે. માં લક્ષ્મી દારા ધારણ કરવામાં આવેલ પદ્મ ચિહનને પવિત્ર માનવામાં આવે છે. તેમન પદ્મ ચિહનની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં દેવી લક્ષ્મીના પદ્મ ચિહ્નોની નિયમિત પૂજા થાય છે. ત્યાં ધન નો વાસ જરૂર રહે છે. એવું કહેવાય છે કે આ પદ્મ ચિહન ઘર પર કોઈ આર્થિક સંકટ આવવા દેતા નથી.
જે ઘરમાં માં લક્ષ્મી શુભ ચિહ્નોને અંકિત જુએ છે એ ઘરમાં ખુશીથી નિવાસ કરે છે. દરિદ્રતા એ ઘરમાં સદાય માટે વિદાય લે છે.
લક્ષ્મીના ચરણ ચિહનને જમીન પર દરવાજાની બહાર બનવું જોઈએ.તેમના ચરણ ચિહનને બનાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખુંવું જોઈએ. જો તમને તમારા હાથથી ચરણ ચિહન બનાવતા ન આવડે તો બજારમાંથી તૈયાર સ્ટીકર લઇ આવો. તેને ઘરના દરવાજાની બહાર લગાવો.ઘરમાં આવનારા સભ્યોની તેમની નજરમાં પડે તેમ લગાવો.
એવું કહેવાય છે કે મહાલક્ષમીને લાલ રંગ ખુબજ પ્રિય હોય છે. તેથી જ કંકુથી રોજ બ્રહ્મ મુહર્તમાં ઉઠીને મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પ્રતીક ચરણ ચિહન ને લગાવો. લાલ ગુલાબના ફૂલોથી સજાવો. લાલ રંગની રંગોળી પણ ચરણ ચિહન બનાવી શકાય છે. રોજ તમે તેમની પૂજા કરો ત્યારે તેમને લાલ રંગની વસ્તુ ચઢાવો.