દોસ્તો તમે કોઈને પ્રેમ કરતા હોય અને પરિવારના સભ્યો સ્વીકાર કરતા ના હોય તો ગભરાવાની જરૂર નથી આપણે બધાએ આ દુનિયામાં ઘણા બધા મંદિર જોયા હશે જ્યાં આપણે મંદિરમાં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જઇયે છીએ અને મંદિરમાં જવાથી આપણી મનોકામના પૂર્ણ થતી હોય છે.આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જ્યાં દર્શન કરવાથી પુરી થાય છે અધૂરી લવ સ્ટોરી આ વાંચીને તમને વિશ્વાસ નહીં થાય પણ આ એક હકીકત છે આ મંદિર ખુબ ચમત્કારી મંદિર છે
આ મંદિર રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું છે આ મંદિર એક એવા ગણપતિ દાદા બિરાજમાન છે જે અધૂરી લવ સ્ટોરી પૂર્ણ કરે છે આ મંદિરમાં ખુબ મોટી સઁખ્યામા યુવા છોકરા છોકરી દર્શન કરવા માટે આવતા હોય છે આ મંદિર ઈશ્કિયા ગજાનંદ મંદિર તરીકે પણ ઓરખવામાં આવે છે એવી માન્યતા છે કે આ મંદિરમાં બિરાજમાન ગણપતિદાદા યુવા પ્રેમી પંખીડાને મિલાવે છે આ મંદિરમાં બુધવારે ખુબ મોટી સઁખ્યામા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે
જોધપુર શહેરમાં પ્રથમ પૂજ્ય ગણપતિ દાદાનું એક એવું અનોખું મંદિર આવેલું છે જ્યાં દરેક બુધવારના દિવસે મેળો ભરાય છે અહીં દર્શન કરવા માટે મૉટે ભાગે યુવાન લોકો આવતા હોય છે આ ગુરુ ગણપતિ મંદિર ને આખા શહેરમાં ઈશ્કિયા ગજાનંદ મંદિર તરીકે ઓરખવામાં આવે છે આ મંદિર ઘણા વર્ષો જૂનું હોય તેમ માનવામાં આવે છે લગભગ ચાર દશક પહેલા થોડાક લોકોએ ઈશ્કિયા ગજાનંદન તરીકે ઉપમા આપી હતી
એવું કહેવામાં આવે છે કે મહારાજ માનસિંહના સમયે એક તળાવનું ખોદકામ ચાલતું હતું ત્યારે આ ગણપતિ દાદાની મૂર્તિ મળી આવી હતી જે પછી આ પ્રતિમાને જુના બજારમાં આવેલા ચબુતરાની સામે પ્રતિષ્ઠિતઃ કરવામાં આવી પહેલા લોકો આ ગણપતિ દાદાના દર્શન કરવા માટે સવારના ૪ વાગે પહોંચી જતા હતા પણ લાઈટ ની સુવિધા ન હોવાથી દર્શનાર્થીઓને ખુબ તકલીફ પડતી હતી સાલ ૧૯૫૧ માં ત્યાં લાઈટની વ્યવસ્થા કરવામાં આવી