વારંવાર નજર લાગતી હોય તો અપનાવી જુઓ લીંબુનો આ ટોટકો..

Astrology

તમે જોયું હશે કે ઘણીવાર કોઈકની ખરાબ નજર લાગી જતી હોય છે અને તે ખરાબ નજર કોઈને પણ લાગી શકે છે. આજે અમે તમને બતાવીશું કે તમારા ઘરને લાગતી ખરાબ નજરથી કેવી રીતે બચાવી શકાય. એવું કહેવાય છે કે લીંબુ અને લવિંગ ના ઉપાય ખરાબ નજરને દૂર કરવામાં થાય છે અને આજે અમે તમને તેવા ઉપાય વિષે જણાવા જઈ રહ્યા છીએ.

આવું કરવાથી તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. ઘણીવાર આવી મુશ્કેલી આવી જાય તો વ્યક્તિ હેરાન પરેશાન થઇ જતો હોય છે. તેનાથી રોજિંદી દિનચર્યા ખોરવાઈ જાય છે. તેના માટે તે ઘણા ઉપાયો કરે છે પણ સફરતાં મળતી નથી. તો આજે અમે તમને એવા કેટલાક ઉપાયો વિષે જણાવશું.

જો કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો એક લીંબુ લેવાનું અને તેને ૭ વાર ફોડવાનું અને પછી લીંબુના ચાર ટુકડા કોઈ સુમસાન જગ્યા પર ફેંકી દેવાના. તેવું કરવાથી લાભ થશે અને વ્યક્તિની નજર ખરાબ થશે. એવું પણ કહેવાય છે કે ઘરમાં લીંબુનું ઝાડ લગાવવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઇ જાય છે અને તે દવાથી પણ કોઈ અસર થતી નથી તો એક લીંબુ પર કાળા રંગની સહીથી ૩૦૭ લખી દો અને તે લીંબુને વિપરીત દિશામાં સાત વાર ઉતારી લો અને તે લીંબુના ચાર ટુકડા કરી લો પછી તેને કોઈ અજાણી જગ્યાએ ફેંકી દો. આવું કરવાથી તે લાભકારક રહેશે.

તો પણ સફરતાં ન મળે તો એક લીંબુ અને ચાર લવિંગ લઈને કોઈ પણ હનુમાન મંદિરમાં જતા રહો અને હનુમાનજીની મૂર્તિની સામે બેસીને લીંબુ અને લવિંગને ચારેય બાજુમાં મૂકી દો. પછી હનુમાન ચાલીસાનો પાઠ કરીને હનુમાન દાદાને પ્રાર્થના કરો કે મારી આવેલી તકલીફોને દૂર કરો. પછી લીંબુને ખીચામાં રાખીને ઘરે લઇ આવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *