દિયોદરના લુદરા નર્મદા કેનાલ તરતી નાથપુરા ના આધેડની લાશ મળી

Uncategorized

દિયોદર તાલુકાના લુદરા નર્મદા કેનાલ માં મંગળવાર ના રોજ કોઈ અજાણ્યા આધેડ ની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોએ જોતાં સ્થાનિક લોકો એ દિયોદર પોલીસ ને જાણ કરી હતી જેમાં દિયોદર પોલીસ ઘટના સ્થળે પોહચી લાસ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી ત્યાંના સ્થાનિક તરવૈયા ની મદદ લઇ મૃતક ની લાશ ને બહાર કાઢવામાં આવી હતી.

જેમાં દિયોદર પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરતા મૃતક આધેડ કાંકરેજ તાલુકાના નાથપુરા ગામ ના ભુદરજી મેરુજી ઠાકોર હોવાનું જાણવા મળતા પરિવારજનો પણ કેનાલ પર દોડી આવ્યા હતા જેમાં દિયોદર પોલીસે પરિવાર ની વધુ પૂછપરછ કરતા મૂર્તક અસ્થિર મગજના હોવાનું પણ જણાવ્યું હતું તેમજ અગાઉ પણ સુસાઈડ કરવાના પ્રયાસ કરેલો હોવાનું જણાવ્યું હતું.

કેનાલ પરથી દિયોદર પોલીસે મૃતક ની લાશ ને પી એમ માટે દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે અંગે પોલીસે એડી મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે જેમાં અગમ્ય કારણસર કેનાલ માં ઝપલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *