પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ માટે હાર્દિક પટેલે કરી એક માગ.

Politics

ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા તરીકે ઓરખાતા એવા સ્વ. કેશુભાઈ પટેલ માટે હાર્દિક પટેલે તેમના જન્મદિવસે સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયને પત્ર લખીને એવી માંગ કરી કે તેમને ડી.લીટની પદવી આપવામાં આવે

જાણો હાર્દિક પટેલે પત્રમાં શું લખ્યું
સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય દ્વારા તા. ૫/૧૧/૨૦૨૦ ના રોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં થયેલા નિર્ણય પ્રમાણે સૌરાષ્ટ યુનિવર્સિટી દ્વારા કેટલાક મહાનુભાવોને ડી.લીટની માનદ પદવી આપવાની હતી. સિન્ડિકેટ દ્વારા ગુજરાતના લોકલાડીલા, સમાજના નબળા વર્ગને ન્યાય આપવા માટે સંઘર્ષ કરનાર સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નો જન્મદિવસ છે. આજના દિવસે ફરીથી આપણા દ્વારા સ્વ. કેશુભાઈ પટેલને ડી.લીટ ની પદવી તાત્કાલિક એનાયત કરવાની વિધિ કરવામાં આવે અને સૌરાષ્ટના પ્રજાજનો વતી તેઓને શ્રદ્ધાંજલિ સુમન આપવામાં આવે તેવી માંગણી કરું છે.\


તા. ૫ નવેમ્બર પછી ૧૯ ડિસેમ્બર અને ૨૮ માર્ચના સૌરાષ્ટ યુનિવર્સિટીની સેનેટની બેઠકો મળી હતી. આ બેઠકમાં સ્વર્ગીય કેશુભાઈ પટેલને મરણોત્તર ડી.લીટ ની પદવી એનાયત થવાની વિધિ કરી શકાઈ હોત. સેનેટની મિટિંગ સામાન્ય રીતે વર્ષમાં બે વાર મરતી હોય છે. મિટિંગ મરી ગઈ હોવા છતાં સ્વ. કેશુભાઈ પટેલને મરણોત્તર પદવી એનાયત થઇ નથી તે બાબત આચર્યજનક છે. જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે ડી.લીટની પદવી આપવાનો નિર્ણય કરી લીધો હોય ત્યારે સમિતિ ની બેઠકો ન મરવાના બહાના આગળ ધરી ને આપણે સ્વ. કેશુભાઈ પટેલને મરણોત્તર સંન્માનને બદલે મરણોત્તર અન્યાય તો નથી કરી રહ્યા ને?


નજીકના ભવિષ્યમાં રાજકોટ આવવાનું થશે ત્યારે આ મુદ્દે આપણે ચોક્કસ મરીશું. તે પહેલા જો આપણા દ્વારા સ્વ કેશુભાઈ પટેલને ડી.લીટની પદવી કઈ તારીખે એનાયત કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવે તો સ્વ. કેશુભાઈ પટેલને થઇ રહેલો અન્યાય દૂર થઇ શકશે.
તમે ડી.લીટ પદવી ની વાત તો જોઈ પણ તે શું હોય છે તે મોટાભાગના લોકો નહીં જાણતા હોય. તો તમને જણાવી દઉં કે ડી.લીટ એટલે શું તો જાણી લો તેનો મતલબ થાય છે ડોક્ટર ઓફ લિટરેચર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *