સુરતના લિંબાયત ઝોનમાં અનવરનગર ઝૂંપડપટ્ટીમાં નવી લાઇન નાખવામાં આવી છે. જેના કારણે નવી લાઇનમાં આવતા 140 અસરગ્રસ્ત ગરીબ શ્રમિક પરિવારોના મકાનો તોડી પાડવામાં આવશે.
આથી આ પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવવાની દરખાસ્ત કરી છે. નવું બિલ્ડીંગ ફાળવાયા બાદ જ વસાહત તોડી પાડવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વર્ષ 1984-85માં લિંબાયત ઝોનના અનવરનગરમાં હયાત રીંગરોડ અને સિવિલ 4 રોડ પરથી પાંડેસરા-બમરોલી રોડના વિકાસ માટે વૈકલ્પિક આવાસ વ્યવસ્થા હેઠળ અસરગ્રસ્ત પરિવારને સુરત મહાનગરપાલિકા દ્વારા રીંગરોડથી ટી.પી. 6 આંજણામાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.
અનવરનગર કોલોની એ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત ટાઉનશીપ છે. અનવરનગરમાં રહેતા 140 પરિવારોને વૈકલ્પિક આવાસો ફાળવ્યા બાદ જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવા માંગ ઉઠી છે.
આ પણ જાણો : આ વસ્તુને મેંદીમાં મિક્સ કરીને લગાવો, વાળ જાડા-ચમકદાર અને લાંબા બનશે
કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિકાસ માટે છેલ્લા 20 વર્ષથી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને EWS આવાસ ફાળવવામાં આવે છે. જેમાં કોસાડ, ભેસ્તાન, વડોદરા વગેરેમાં EWS.
આવાસ મુખ્ય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વિના અમારી સાથે આવો ભેદભાવપૂર્ણ અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? અમે આ સમજી શકતા નથી.
અનવર નગર વસાહતમાં રહેતા લોકોને પહેલા વૈકલ્પિક મકાનો ફાળવવા જોઈએ, ત્યારબાદ લોકોને તે વસાહતમાંથી ખસેડવા જોઈએ. આ માંગ ટાઉનશીપના અસરગ્રસ્તોએ આજે મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે આવીને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને કરી હતી.
આ પણ જાણો : વડીલોના આશીર્વાદ મળતા રહેવા ખૂબ જ જરૂરી છે, વાંચો મહાન આચાર્ય અને બ્રહ્માજી ની કથા.
ગુજરાત ના સમાચાર, તાજી ન્યુઝ ગુજરાતીમાં મેળવો તેમજ સોંથી પહેલા gujaratniasmita.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarati Latest News Today, Live news in Gujarati, Gujarat News Live, For more related stories, follow: ગુજરાત રાજ્ય ની ન્યુજ
અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ