હાલ ના સંજોગોમાં કોરોનાનું પ્રમાણ ગુજરાતમાં ઓછું થયું હોવાથી લોકો બહાર ફરવા માટે જઈ રહ્યા છે. તો કોઈ મંદિરોમાં દર્શન કરવા પણ જતા હોય છે. પરંતુ કોઈક વાર ખુશીનો માહોલ માતમ માં છવાઈ જતો હોય છે તેવો જ બનાવ હાલમાં એક દંપતી જોડે બન્યો છે. તમે પણ અત્યાર સુધીમાં એવા ઘણા બનાવ જોયા હશે અથવા તો સાંભર્યા હશે અને તેનું દુઃખ પણ અનુભવ્યું હશે. તમને તેવી જ ઘટના વિષે જાણવા જઈ રહ્યો છું તો જાણો.
હાલમાં જ એક દંપતી અંબાજી માતાજી ના દર્શન કરી ને પરત ફરી રહ્યું હતું અને તે દંપતી એક અચાનક અકસ્માતનું ભોગ બનવું પડ્યું. આ બનાવ માણસા તાલુકાના રંગપુર ગામના પરિવાર ને નડ્યો છે. માતાજીના દર્શન કરી પરત આવતી વખતે અચાનક જ કારમાં આગ લાગી હતી અને પતિની નજરોની સામે જ પત્ની બળી ને ખાખ થઇ જાય છે. તે સમયે પતિ કારમાંથી ભાર નીકળી ગયા હતા તેમને પણ ઇજાનો ભોગ બનવું પડ્યું હતું. તેમનું પણ મોં અને હાથ પગ દાઝી ગયા હતા.
તે દંપતીનું નામ છે ચીરાગસિંહ ચાવડા અને તેમની પત્નીનું નામ પુજાબા છે. આ બનાવ અંબાજીથી આવતા હદાત નજીક બન્યો હતો. કારમાં અચાનક જ આગ લગતા આગ ખુબ વધી ગયી હતી. ત્યારે પુજાબા કારની અંદર ફસાઈ ગયા હતા જોત જોતામાં જ તે પતિની સામે બળી ને ખાખ થઇ ગયા હતા અને તેમના પતિને સારવાર અર્થે ખસેડાયા હતા.
આ ઘટના ની જાણ થતા તરત જ અંબાજી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થરે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના બની ત્યારે આસપાસના લોકો પણ મદદ માટે આવી ગયા હતા. આ ઘટનાની જાણ પરિવારને થતા તેમનામાં શોક ના વાદળો છવાઈ ગયા હતા.