વડાપ્રધાન મોદી સાહેબ ની હત્યાના ષડ્યંત્ર નો થયો ખુલાસો 20 કિલો RDX ની ઈમેલ મા આપી ધમકી.

Politics

વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. ઈ-મેઈલ કરનારે કહ્યું કે તે આત્મહત્યા કરી રહ્યો છે જેથી ષડયંત્રનો પર્દાફાશ ન થઈ શકે.

પીએમ મોદીને મારવા માટે 20 સ્લીપર સેલ તૈયાર છે.

તેમની પાસે કુલ 20 કિલો RDX છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર સ્લીપર સેલ દ્વારા 20 કિલો આરડીએક્સ વડે પીએમ મોદીની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. સુરક્ષા એજન્સીઓ પીએમ મોદીની હત્યાના કાવતરાને લઈને મળેલા ઈ-મેલના સ્ત્રોત પર માહિતી એકઠી કરી રહી છે. એજન્સીઓનું કહેવું છે કે આતંકવાદી સંગઠનોએ તેમના નાપાક ઉદ્દેશ્યો પાર પાડવા માટે 20 સ્લીપર સેલ બનાવ્યા છે.

ઈ-મેલ મુજબ આ હુમલાની યોજના ઘડવામાં આવી હતી. મેલમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ મેઈલ લખ્યો છે તેના ઘણા આતંકવાદીઓ સાથે પણ સંબંધ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને ધમકીભર્યા ઈ-મેલ મોકલ્યા છે. જે મેલ પરથી ઈ-મેલ આઈડી મળ્યો હતો તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ મેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઈ શાખાને આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *