લોહરી અને મકરસંક્રાંતિ બંનેમાં તલ અને તલની બનેલી વાનગીઓ ખાવામાં આવે છે. લોકો તલના લાડુથી લઈને ગજક અને ગોળની રેવડી સુધી આરોગે છે. તહેવારમાં તલમાંથી બનેલી વાનગીનું સેવન કરવાનું શાસ્ત્રો અનુસાર મહત્વ છે, પરંતુ તલમાં આયુર્વેદના ગુણ પણ છે, તેથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તલમાં રહેલા પોષક તત્વો અનેક રોગોના જોખમ સામે રક્ષણ આપે છે. તેનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તલમાં અનેક પ્રકારના પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં સેસામીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તલના બીજમાં ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે અને તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તલના બીજમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને સેલેનિયમ જેવા વિવિધ ક્ષાર હોય છે.
તલ ફેફસાના કેન્સર, કોલોન કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે. તેમાં રહેલા ફાઈબર અને મેગ્નેશિયમના ગુણ શરીરમાં ઈન્સ્યુલિન અને ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરે છે. તેથી, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
તલ ખાવાથી મેટાબોલિઝમ સારું કામ કરે છે. તેમાં રહેલ પ્રોટીન શરીરને ઘણી શક્તિ અને ઉર્જા આપે છે. તલ બાળકો માટે પણ ફાયદાકારક છે, તેમાં ડાયેટરી પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે બાળકોના હાડકાંની વૃદ્ધિને વધારે છે.