મિત્રો આજે આપણા ઘણા બધા મંદિરો વિશે સાંભર્યું હશે કે આ મંદિરમાં આવું છે તેના ચમત્કાર આવા છે. આપણે ભગવાન નો આભાર માનવા પાર્થના કરવાથી દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનના મંદિરમાં જઈએ છીએ. મંદિરમાં મળતા પ્રસાદને આપણે ભગવાન ના આશીર્વાદ તરીકે સ્વીકારતા હોઈએ છીએ. આજે તમને એક એવા મંદિર વિશે જાણવા જઈ રહ્યા છે જ સાંભરીને તમે દંગ રહી જશો.
હનુમાનજીને ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. ભારતભરમાં એક જ બજરંગબલીના ઘણા બધા મંદિરો છે. જ્યાં આગળ ભક્તો તેમના દુઃખોના અને પૂજા માટે જતા હોય છે. હનુમાનજીના ઘણા નામ છે સંકટ મોચન, રામદૂત, પવનસુત વગેરે નામોથી બોલવામાં આવે છે.
રાજસ્થાનમાં દૌસાની બે ટેકરીઓ વચ્ચે આવેલું મહેંદીપુર બાલાજી મંદિર પણ હનુમાનના પ્રખ્યાત મંદિરોમાં સામેલ છે. આ પ્રખ્યાત મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ લાગે છે. જેમાંથી ઘણા ભક્તો તેમના દુ:ખ દૂર કરવા માટે આવે છે, જ્યારે કેટલાક ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
પરંતુ મિત્રો તમને જાણી નવાઈ લાગશે કે આ મંદિરમાં નિયમો થોડા સમજાય એવા નથી. એવું કહેવામાં આવે છે કે અહીં આવનાર તમામ ભક્તોને ઓછામાં – ઓછા એક અઠવાડિયા પહેલા લસણ, ડુંગળી, દારૂ બંધ કરી દેવું જોઈએ. અને બીજો વિચિત્ર નિયમ એ છે કે ત્યાં ભક્તો પ્રસાદ લાવી શકતા નથી તેમજ ત્યાં ખાઈ પણ શકતા નથી. આ મંદિરમાં સુગંધિત વસ્તુઓ ક્યારેય ઘરે લઇ શકતા નથી.