પાલનપુર આમ આદમી પાર્ટીના કાર્યલય થી રાજમાર્ગો પર આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા યોજાઈ દિલ્હીના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત..

Uncategorized

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મલતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં અને તાલુકામાં તિરંગા યાત્રા યોજી પંજાબ માં ભવ્ય વિજય ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ આમ આદમી પાર્ટીના કાર્યલય શ્રીજી આકેડ થી તિરંગા યાત્રા નું પ્રસ્થાન થયું હતું જે તિરંગા યાત્રા શહેરના અલંગ અલંગ વિસ્તારમાં ફરી હતી.

જેમાં અમદાવાદ હાઈવેથી એરોમા સર્કલ ગઠામણ દરવાજા થઈ સંજય ચોક સિવિલ હોસ્પિટલ અને દિલ્હી ગેટથી પત્થર સડક નાની બજાર વિસ્તાર થઈને મીરાગેટ કમાલપુર પોલોટેકિનક કોલેજ ધનિયાણા ચાર રસ્તા સુધી તિરંગા યાત્રા ફરી હતી જેમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય અજયેશ યાદવ સાથે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સાથે સંગથન મંત્રી રમેશભાઈ નાભાણી પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી હષદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે તિરંગા યાત્રા માં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ જોડાયાં હતાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં ડંકા વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ તિરંગા યાત્રા યોજી વધુમાં વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા ગુજરાતમાં ભાજપ સામે કોંગ્રેસ ટક્કર આપી શકે નથી.

ત્યારે હવે આમ આદમી પાર્ટી એકજ વિકલ્પ છે જેથી ભષ્ટ્રાચાર મુક્ત ગુજરાત માટે ગુજરાતના દરેક મતદાતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને સંગથન મંત્રી રમેશભાઈ નાભાણી જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *