ભગવાનની પૂજા કરતી વખતે આ સંકેત મળે તો સમજી જજો કે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા છે

Astrology

હિંદુ ધર્મના દરેક ઘરમાં સવાર-સાંજ બે વખત ભગવાનની પૂજા કરવામાં આવતી હોય છે આપણે જ્યારે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે ભગવાન આપણને અમુક સંકેત બતાવતા હોય છે સંકેતના માધ્યમથી કહેવા માગતા હોય છે કે તમે કરેલી પૂજાથી ખુબ ખુશ થયા છે આ સંકેતો વિશે મોટાભાગના લોકો જાણતા નહીં હોય અને તે સંકેતને નજર અંદાજ કરતા હોય છે આજે હું તમને ભગવાન દ્વારા આપતા સંકેતો વિશેની જાણકારી આપીશ

ઘણી વખત પૂજા કરતા સમયે નાની-નાની ઘટનાઓ ઘટતી હોય છે જેને આપણી ભૂલ થી નજર અંદાજ કરી મૂકતા હોય છે તે સમયે આ ઘટનાઓ સ્વયં ભગવાન દ્વારા આપવામાં આવતી હોય છે પૂજાના સમયે તમે જ્યારે કપૂર કે અગરબત્તી સળગાવો ત્યારે તમને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થાય છે અને ઘરની અંદર આનંદમય વાતાવરણ બની જાય છે ત્યારે તમારે સમજી લેવું કે આવનારા સમયમાં તમારું ભાગ્ય તમારો સાથ આપશે ઘરની અંદર સુખ-સમૃદ્ધિ આવશે

જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે તમારા ઘરના દરવાજા ઉપર ગાય આવે તો સમજી લેવું કે ભગવાને તમને સાક્ષાત દર્શન આપ્યા છે આવેલી ગાયને રોટલી ખવડાવવાથી તમને 33 કરોડ દેવી-દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થશે

ભગવાનની પૂજા વખતે પ્રગટાવેલો દિપ અચાનક વધારે પડતો તેજ થઈ જાય તો સમજી લેવું કે તમારા ઘરે ભગવાનનું આગમન થઈ ચૂકયું છે પ્રગટાવેલા દીપકનું વધતું જતું અજવાળુ સાબિત કરે છે કે તમે કરેલી ભગવાનની આરાધના સારી રીતે પૂર્ણ થઈ ગઈ છે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓનુ વર્ણન ભગવાનની સામે કરવું અને તે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ ભગવાન પાસે માંગવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *