નિર્દોષ ને હાથ પણ અડાવશો તો ખેર નથી તમારી, ભરૂચ ની ઘટના બાદ કાર્યવાહી, 29 લોકો ને…..

ગુજરાત

બાઈકચોરી ગેંગના કેસમાં નિર્દોષ લોકો પર હુમલાના બનાવો સામે આવ્યા બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે નિર્દોષોને માર મારવા બદલ 2 અલગ-અલગ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે છોકરાઓને લઈ જતી ગેંગ સક્રિય થઈ છે. રાજ્યમાં ગેંગ ફરે છે અને બાળકોનું અપહરણ કરી રહી છે તેવા અનેક સંદેશા સાથેનો એક વીડિયો પણ જોવા મળ્યો છે. વાયરલ થઈ રહેલા આ મેસેજની લોકોના માનસપટ પર એટલી ઊંડી અસર થઈ છે કે આજુબાજુના વિસ્તારમાં સહેજ પણ શંકા જાય તો નિર્દોષ લોકોને માર મારવાના બનાવો સામે આવી રહ્યા છે.

ભરૂચના બી ડિવિઝન વિસ્તારમાં આવેલી APMC માર્કેટ પાસે પણ આવી ઘટના સામે આવી હતી, જેમાં બે મહિલાઓને ટોળાએ એવી રીતે માર માર્યો હતો કે તેમને સારવાર લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ ભરૂચના એસપી ડો.લીના પાટીલે ચેતવણી આપી હતી કે શંકાસ્પદ કેસમાં કાયદો હાથમાં ન લો અને પોલીસને જાણ કરો, આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે બાળકના અપહરણની શંકામાં નિર્દોષોને માર મારવા બદલ 29 લોકો સામે કેસ નોંધ્યો છે. બે બનાવમાં બે અલગ-અલગ ગુના નોંધાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ખોટા મેસેજના કારણે આ ઘટના બની છે ત્યારે પોલીસ પણ મેસેજ વાયરલ કરનાર તત્વો પર નજર રાખી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *