ધનતેરસના દિવસે આ પાંચ વસ્તુ ખરીદવી ખુબ શુભ માનવામાં આવે છે

Astrology

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસ થી થાય છે એવું માનવામાં આવે છે કે જો ધનતેરસના દિવસે માતા લક્ષ્મી ને પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દેવતાઓ જયારે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે ભગવાન ધનવંતરી હાથમાં લોટો લઈને પ્રગટ થયા હતા ધનતેરસના દિવસે લોકો સોના ચાંદી વગેરે ખરીદતા હોય છે ધનતેરસના દિવસે જે વસ્તુ ખરીદવામાં આવે તે વસ્તુ બે ગણી થઇ જાય છે ધનતેરસના દિવસે મોટા ભાગના લોકો સોના ચાંદી ની વસ્તુ ની ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે કઈ વસ્તુ ની ખરીદી શુભ કે અશુભ કહેવાય

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સોના ચાંદી ની વસ્તુની ખરીદી કરવી ખુબ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુ આખા વર્ષ દરમિયાન ચુંબકની જેમ પૈસા ખેંચવાનું કામ કરે છે આ દિવસે સોના કે ચાંદીના સિક્કા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે

ધનતેરસના દિવસે ઝાડુ પણ ખરીદવું શુભ માનવામાં આવે છે મામૂલી લાગતું ઝાડુ ખુબ શક્તિશાળી હોય છે ઝાડુને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એથી ઝાડુનું કોઈ દિવસ અપમાન કરવું જોઈએ નહીં ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ માં વધારો થાય છે ઝાડુ ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નિકારે છે

ધનતેરસના દિવસે બાઈક કે ગાડી ની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે તેમે કોઈપણ વાહન ની ખરીદી કરી શકો છો

માતા લક્ષ્મી કે ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટા ની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે દિવાળીના દિવસે પૂજવામાં આવતા માતા લક્ષ્મી કે ભગવાન ગણેશની મૂર્તિ ધનતેરસના દિવસે કરી લેવી જોઈએ માતા લક્ષ્મી ઘરમાં ધન સંપત્તિ વધારવાનું કામ કરે છે જયારે ભગવાન ગણેશ ઘરમાં આવેલી મુશ્કેલી દૂર કરે છે

તાંબા કે પિત્તળ ના વાસણો ખરીદવા ખુબ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન વખતે ધનવંતરી તાંબાનો લોટો લઈને પ્રગટ થયા હતા તેથી તાંબા કે પિત્તળના વાસણો ખરીદવા નો આગ્રહ કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *