દિવાળીના તહેવારોની શરૂઆત ધનતેરસ થી થાય છે દિવાળીના તહેવારોનું હિન્દૂ ધર્મમાં ખુબ અનોખું મહત્વ રહેલું છે દિવાળીનો સમય એ માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાનો યોગ્ય સમય માનવામાં આવે છે આ સમયગારા દરમિયાન જો માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે
આ પ્રાચીન શસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી અને ભગવાન શંકર ની સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે જયારે પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે ત્યારે માતા પાર્વતીની પણ પૂજા કરવી ખુબ જરૂરી છે તેવીજ રીતે જયારે ભગવાન વિષ્ણુની જયારે પૂજા કરવામાં આવે ત્યારે માતા લક્ષ્મીની પૂજા કરવી ખુબ જરૂરી છે આ બન્ને દેવી દેવતાની સાથે પૂજા કરવામાં આવે તો જ પૂજા નું યોગ્ય ફળ મળી શકે છે પણ દિવાળીના સમયે માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી નથી
તો મિત્રો તમને ખબર હશે કે ધન ની દેવી તરીકે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે દિવાળીના સમયે માતા લક્ષ્મી સાથે ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે તે સાથે કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે આ બધા ભગવાની પૂજા કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન સંપત્તિ અને બુદ્ધિ માં વધારો થાય ઘરમાં નકારત્મક ઉર્જા પ્રવેશ કરી શક્તિ નથી વર્ષનો આ એક એવો સમય છે જ્યાં માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવતી નથી એની પાછળ પણ એક ધાર્મિક મહત્વ રહેલું છે
માતા લક્ષ્મી સાથે ઘણા ભગવાની પૂજા કરવામાં આવે છે પણ માતા લક્ષ્મી સાથે દિવાળી ના સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી નથી કારણ કે ભગવાન વિષ્ણુ ચાતુમાર્સ ના સમયે નિદ્રાલીન માં હોય છે અને તે એકાદશીના દિવસે જાગે છે ભગવાન વિષ્ણુ ની ઊંઘ ન બગડે તેટલા માટે દિવાળીના સમયે તેમને પૂજા કરીને યાદ કરવામાં આવતા નથી