દિયોદર ના નવાપુરા ગામે ભર ઉનાળે પાણી માટે વલખાં.

trending

બોર ઓપરેટર દ્વારા નાણાં ઉઘરાવતા હોવાની આક્ષેપ

તાજેતર માં દિયોદર તાલુકા ના જાલોઢા ગ્રામ પંચાયત માંથી વિભાજન વિભાજન થઈ અલગ થઈ છે ત્યારે નવાપુરા ગામ માં ઉનાળા ની શરૂઆત થઈ છે તે પહેલા પાણી ની વિકટ સમસ્યા સર્જાઈ છે જેમાં નવાપુરા ના અનેક લોકો ને નાણાં ન ચૂકવે તો પણ પાણી આપવામાં આવતું ન હોવાથી લોકો બેબાકળા બન્યા છે ત્યારે દિયોદર ના નવાપુરા ગામે 2500 થી 3000 હજાર વસ્તી ધરાવતું આ ગામ છે.

જેમાં વર્ષો થી આ ગામ માં પાણી બોર બંધ છે જેમાં જસાલીથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામને પાણી પોહચડવામાં આવે છે પરંતુ ઘણી વાર લોકો ને ટાઈમ સર પાણી ના મળતું હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે એટલુંજ નહીં પણ ગામ માં બોર ઓપરેટર દ્વારા પાણી માટે નાણાં પણ ઉધરાવવામાં આવતા હોવાની રાવ ઉઠી છે.

જેમાં સ્થાનિક લોકો અને ખેતર માં વસવાટ કરતા લોકો ત્રાહિમામ બન્યા છે જેમાં ભર ઉનાળા માં પાણી ન મળતા લોકો દૂર દૂર જઈ પાણી ભરે છે તો આ બાબતે સત્વરે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *