ઘરમાં આવેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રના કહેવા મુજબ ભગવાન ગણેશની સામે આ ઉપાય કરો

Astrology

ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે ભગવાન ગણેશ ઘરમાં આવેલી મુશ્કેલીઓ દૂર કરતા હોય છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો તેમની પૂજા અર્ચના કરતા હોય છે જો ભગવાન ગણેશની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે હું તમને કેટલાક ઉપાય બતાવીશ આ ઉપાય કરવાથી ઘરમાં આવેલી મુશ્કેલીઓનો અંત આવશે

દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માટે ખૂબ મહેનત કરતો હોય છે પણ ઘણા એવા વ્યક્તિ હોય છે જે ખૂબ મહેનત કરતા હોય છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ પ્રાપ્ત થતું નથી આવા લોકોએ ભગવાન ગણેશને માટીની એક નાની મૂર્તિ બનાવીને તેને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ આ મૂર્તિની રોજ સવારે યોગ્ય વિધિવિધાન દ્વારા પૂજા કરવી જોઈએ આ ઉપાય કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થશે

જો તમે તમારી આર્થિક પરિસ્થિતિ સુધારવા માંગતા હોય તો ભગવાન ગણેશની પૂજા કરતા સમયે પાંચ સફેદ કોડી લઈને તેને ભગવાન ગણેશના પગમાં મૂકવી જોઈએ ભગવાન ગણેશની સાથે કોડીની પણ પૂજા કરવી જોઈએ ત્યારબાદ કોડીને એક લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવી જોઈએ આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ તમારી આર્થિક પરિસ્થિતિ સુધારવા માંડશે

તમે ભગવાન ગણેશની આગળ ચાર મુખી દીવો બનાવીને દીવાને પ્રગટાવીને ભગવાન ગણેશની આરતી કરવી જોઈએ આ ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે તમારા ઉપર કોઈ સંકટ આવે તે સમયે ભગવાન ગણેશને યાદ કરવાથી ભગવાન ગણેશ તમને સંકટમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *