આ વિસ્તારો ને તો મેઘરાજા એ કર્યો તાંડવ નદી નાળા કરી દીધા વેહતા આ વિસ્તારો મા તો ઇંચો મા વરસાદ પડ્યો ….

ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાની મહેર અવિરત વરસી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી 15 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

જેમાંથી 91 તાલુકામાં સારો વરસાદ થયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સુરેન્દ્રનગરના સાયલામાં 4 ઈંચ વરસાદ થયો છે. નવસારીમાં 3.5 ઈંચ, મોડાસામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી, ગડ્ડા અને બાબરામાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ચાર કલાકમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ તો આજે એટલે કે 15મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 10 વાગ્યા સુધી વરસાદની વાત કરીએ તો ચાર કલાકમાં જ 107 તાલુકામાં વરસાદ પડ્યો છે. જે પૈકી 47 તાલુકાઓમાં અડધા ઈંચથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

સુરત, ગીરસોમનાથ, વલસાડ, રાજકોટ અને અમરેલીમાં ચાર કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે આ વિસ્તારોના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

આવી સ્થિતિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના પોરબંદર, જૂનાગઢ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *