હાર્દિકે ૪ મહિનાથી કોમામાં રહેલા રાકેશ વઘાસિયાના ફેમિલીને ૧ લાખની સહાય આપી, તેમને કોરોના થયા બાદ છેલ્લાં ચાર મહિનાથી તેઓ કોમામાં છે અને તેના પરિવારને ખૂબ જ આર્થિક મુશ્કેલી પડી રહી છે.

Uncategorized

તાજેતરમાં જ હાર્દિક પટેલ રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાકેશ વઘાસીયાના ઘરે મુલાકાત કરવા માટે ગયા હતા. રાકેશ વાઘસિયાને કોરોના થયા બાદ છેલ્લાં ચાર મહિનાથી તેઓ કોમામાં છે અને તેના પરિવારને ખૂબ જ આર્થિક મુશ્કેલી પડી રહી છે. તેથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાકેશ વઘાસીયા પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને હાર્દિક પટેલે પ્રોફેસરના પરિવારના સભ્યો સાથે વાતચીત કરીને એક લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કરી હતી.


હાર્દિક પટેલ ગઈકાલે ભાજપને પણ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, પાટીદાર સમાજ કોઈનો ગુલામ નથી, ભાજપ ફાંકો કાઢી નાંખે. સાથે તેણે એવું પણ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની વાતો કરે છે પરંતુ, ચાર મહિનાથી કોમામાં રહેલા પ્રોફેસર પટેલ છે અને એ પણ સમાજનો દીકરો છે તો ભાજપના કયા નેતાએ તેની મુલાકાત કરી. આ દીકરાને મદદ કરી પહેલા તેનો જવાબ આપો પછી પાટીદાર સમાજની વાત કરો.


કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યા બાદ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે કહ્યું હતું કે, પહેલાથી હું કહેતો આવું છું કે પાટીદાર ભોળો સમાજ છે. પાટીદારની અંદર વિભાજન હોઈ શકે થોડાં લોકો ભાજપમાં હોય પરંતુ, ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે. એટલે મનસુખ માંડવિયા ભાજપમાં હોય તો એમનો વિચાર હોઈ શકે પરંતુ, ખોડલધામ મંદિરના પટાંગણમાંથી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વહેંચાયેલા હોય તો તે તેના સ્થાને કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *