આજકાલ સિટી માં રહેતા લોકો પેકેટ વારું દૂધ જ વાપરે છે. પણ આ દૂધ પહેલાથી જ પોઈશ્વરાઇઝડ હોય છે. એનો મતલબ કે આ દૂધ ને પહેલા થી જ ઉચ્ચ તાપમાને ગરમ કરીને બાદ માં ઠંડુ કરવામાં આવેલું હોય છે , જેને આપણે પોઈશ્વરાઇઝડ કહીએ છીએ.
આમ આવું કરવાથી કોઈ પણ દૂધ ને લાંબા સમય સંગ્રહ કરી શકાય છે. તેમજ આવું કરવાથી તેમાં રહેલા હાનિકારક બેકટેરિયા મળી જાય છે. જે લોકો ખુલ્લું દૂધ વાપરે છે તેને ઘણી સાવચેતી રાખવી પડે છે, તેને ગાળવું કે ઉકાળવું પડે છે.
બજાર માંથી છૂટક મળતા દૂધ ને ખરીધા પછી દૂધ ને વધારે ગરમ કરવાની જરૂર પડે છે અને તે ઉકાળી ને ઠંડુ કરવું પડે છે. આવું ન કરવાથી તમારું દૂધ જલ્દી થી બગડી જાય છે. આવી આદત ના કારણે લોકો આ પક્રિયા પેકેટવાળા દૂધ માં કરે છે.
પેકીંગ માં આવતા દૂધ ને ગરમ કરવું જોઈએ કે નહીં આ સવાલ દરેક ના મન માં ઉઠતો હોય છે. ઘણા લોકો એવું માને છે કે દૂધ પ્લાસ્ટિક માં થી આવતું હોવાથી ગરમ કર્યા વગર ન પીવું જોઈએ તે નુકશાનકારક છે.
પણ ઘણા લોકો તેને ફરીથી ગરમ કરે છે જેથી એમાં રહેલા પોશાક તત્ત્વો ઓછા થઇ જાય છે. તેથી પેકેટ વાળા દૂધ ની ગુણવતા બનાવી રાખવા માટે તેને ગરમ ન કરવું જોઈએ.
ખાસ એ વાત છે કે દૂધ ને ૪ ડિગ્રી તાપમાન પર સાત દિવસ સુધી આરામ થી સાચવી શકાય છે તે તમે પણ જાણતા હશો.
નોટ: અમારો ઉદેશ કોઈ પણ કંપનીને ઠેસ પહોચડવાનો નથી. અમે તો માહિતી શેર કરીયે છીએ અમારી ઓડિયન્સ જોડે.