ચેતેશ્વર પુજારા એ ખોલી દીધા બધા રાજ, કહ્યું કે આપ ખેલાડીના કારણે બાંગ્લાદેશ સામે મળી મોટી જીત

ક્રિકેટ

હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય ટીમે 3 વિકેટે જીત મેળવી છે. આ પહેલા રમાયેલી પ્રથમ મેચ 188 રને જીતી હતી. ભારતીય ટીમ માટે આ શ્રેણી સફળ રહી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા છે.

આ જીત બાદ ચેતેશ્વર પુજારાને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે.બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પર નજર કરીએ તો ભારતે પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી હતી પરંતુ બીજી મેચમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. બાંગ્લાદેશની ટીમ શાનદાર ફોર્મમાં હતી પરંતુ ભારતીય ટીમે છેલ્લી ઘડીએ જીત મેળવી હતી.

જીત બાદ પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા ચેતેશ્વર પુજારાએ કહ્યું છે કે આ ભારતીય ખેલાડીના કારણે જ અમે જીત્યા છીએ.ચેતેશ્વર પૂજારાએ સિરીઝ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનેક નિવેદનો આપ્યા છે. તેણે કહ્યું છે કે આ ભારતીય ખેલાડી આ મેચનો અસલી હીરો છે. એટલા માટે અમે છેલ્લી ઘડીએ જીતવામાં સફળ રહ્યા.

તે સમગ્ર શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે. તેથી જ આ શ્રેય તેને જ જવો જોઈએ. આ સિવાય બીજા પણ ઘણા નિવેદનો આપવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે આ ભારતીય ખેલાડી.આપને જણાવી દઈએ કે મેચ પુરી થયા બાદ ચેતેશ્વર પૂજારાએ રવિચંદ્રન અશ્વિનના વખાણ કર્યા હતા.

તેણે કહ્યું કે, બીજી મેચમાં ભારતીય ટીમને મેચ જીતવા માટે 145 રનની જરૂર હતી, પરંતુ જ્યારે મોટાભાગના ખેલાડીઓ આઉટ થઈ ગયા ત્યારે તેણે 42 રન બનાવીને જીત મેળવી હતી. આ સિવાય તેણે બે વિકેટ પણ લીધી છે.

તેણે પ્રથમ મેચમાં પણ સારો દેખાવ કર્યો હતો.ચેતેશ્વર પૂજારાએ વધુમાં કહ્યું કે રવિચંદ્રન અશ્વિને ભૂતકાળમાં પણ ઘણી વખત ભારતીય ટીમને મુશ્કેલ સમયમાં મદદ કરી છે. અત્યારે પણ તેણે ધડાકો કર્યો છે.

તેની સારી બેટિંગના કારણે ભારત જીત્યું. એટલા માટે તેને આ મેચનો અસલી હીરો માનવામાં આવી શકે છે. તે પોતાના અનુભવનો ઉપયોગ કરીને ભવિષ્યમાં પણ ઘણી મોટી મેચો જીતી શકે છે.ભારતીય ક્રિકેટ ટીમ ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે રમવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *