હિન્દૂ ઓ ની આસ્થા નું કેન્દ્ર અને ચાર ધામમાં સૌથી જૂનું ધામ છે જગન્નાથ ધામ આનો ઉલ્લેખ સ્કંદપુરાણ, નારદપુરાણ, પદ્મપુરાણ, અને બ્રમ્હપુરાણ, માં પણ જોવા મળે છે. ઓરિસ્સાના પુરી શહેરનું જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું દુનિયાનું સૌથી મોટું મંદિર છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રા ની સાથે બિરાજમાન છે. ત્યાં દર વર્ષે અષાઢ ના ખાસ મહિનામાં દુનિયાભરના ના લાખો શ્રધ્ધારુ જોવા મળે છે. કહેવાય છે કે આ મંદિર ને બાર મી સદી કલિંગર ના રાજા અનંતવર્મન ચોર ગંગદેવને બનાવવાનું ચાલુ કર્યું હતું. અને ઓરિસ્સાના શાસક ભીમદેવ ના શાસનકાળ માં તે નવો આકાર મળ્યો અને આ એક મંદિરનું નિર્માણ થયું. તેની બનાવટ આજે પણ બધાને હેરાન કરીદે છે.
મંદિરના એવા ચમત્કાર ની વાત કરીએ કે જેનો જવાબ વૈજ્ઞાનિકો પાસે પણ નથી. જગન્નાથ મંદિર પણ લગાવામાં આવેલો ગુમ્મર પર લગાવેલી ધ્વજા દેખાવમાં તમને સામાન્ય લાગતી હશે પણ એવું નથી આ દુનિયાની પહેલી ધ્વજા એવી છે કે જે હવાની ઉંધી દિશામાં લહેરાય છે. આવું કેમ થાય છે તે જાણવાનો પ્રયત્ન કેટલાક વૈજ્ઞાનિકો કર્યો પણ તેનો જબાવ આજ સુધી મળ્યો નથી . આ ધ્વજા એટલી સુંદર છે જે શહેરના દરેક સ્થરે થી દેખાય છે. દરેક મંદિરના ગુમ્મર પર પક્ષી તો હોય જ છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ ગુમ્મર ની ઉપર અને આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું જોવા મળતું નથી. આજ સુધી અહીં કોઈ પક્ષી બેથેલું જોવા મળ્યુ નથી અને આ મંદિરની ઉપર થી આજ સુધી કોઈ વિમાર ગયું નથી વિમાન આ વિસ્તાર માં આવે તો છે પણ આ મંદિરની ઉપર થઈને જતું નથી પણ આવું કેમ છે એ કોઈ ને નથી ખબર. કોઈને ખબર નથી કે મંદિરની ઉપર થી જવાવાર વિમાન નો રસ્તો આપો આપ બદલાઈ જાય છે.
આ મંદિર લગભગ ૪ લાખ વર્ગ ફૂટ ફેલાયેલું છે. અને તેની ઊંચાઈ ૨૧૪ ફૂટ છે. મંદિરની પાસે ઉભા રહીને તેનો ગુમ્મર જોવો નામુમકીન છે અને આ મંદિરનો છાંયડો દિવસમાં કોઈ પણ સમયે એક પણ દિશા માં જોવા મળતો નથી. આ મંદિર પર લગાવામાં આવેલું સુદર્શનચક્ર અષ્ટધાતુ થી બનાવામાં આવ્યું છે. અને શેરમાં કોઈ પણ સ્થાન થી તમે આ સુદર્શનચક્ર જોઈ શકો છો. ત્યાં રોજ લાખો લોકોનું જમવાનું બનાવામાં આવે છે. હજારો સાલ પહેલાની ચાલી આવેલી પરમ્પરા માટી ના સાધનોમાં જ ખાવાનું બનાવામાં આવે છે. આ મહા પ્રસાદ ને ૮૦૦ માણસ ભેગા થઈને બનાવે છે. અહીંયા બનાવામાં આવતો પ્રસાદ સાત વાસણ એક બીજા ના ઉપર મૂકી બનાવામાં આવે છે. તમને આ વાત થી હેરાની થશે કે સૌથી ઉપર વારા વાસણ વારું જમવાનું જલ્દી બની જાય છે. જેમ કે સૌથી વધારે ગરમી તો નીચે વારા વાસણને મળે આ કેમ આવું થાય છે તેનો જવાબ કોઈની પાસે નથી. અહીં મંદિરની ધ્વજા બદલવા માણસ ૨૧૪ ફૂટ ઊંધો ચડીને બદલે છે. હજારો સાલ જૂની પરમ્પરા ને દયાનમાં રાખીને અહીં ઊંધા ચડીને ધ્વજા બદલવામાં આવે છે.