જો તમે સારી નોકરી મેળવવા માગતા હોય તો જ્યોતિષ અનુસાર અપનાવો આ ઉપાય

Astrology

ઘણા વ્યક્તિ એવા હોય છે જે મહેનત કરતા હોય છે પણ સફળ થતા નથી એવું કહેવામાં આવે છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે ભાગ્યનો સાથ હોવો ખુબ જરૂરી છે ભાગ્ય અને કર્મ બન્નેનો સમાવેશ થઈ જાય તો વ્યક્તિ જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે

સમાજમાં ઘણા એવા લોકો છે જે વર્ષો સુધી નોકરી મેળવવા માટે તૈયારી કરતા હોય છે પણ સફળતા પ્રાપ્ત થતી નથી કારણ કે તેમને ભાગ્યનો સાથ મળતો નથી આજે આપણે જ્યોતિષ અનુસાર કેટલાક એવા ઉપાય જાણીશું જેને કરવાથી નોકરીની સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર નોકરી મેળવવા માટે કે જીવનમાં આગળ વધવા માટે તમારે ભાગ્યેશ કે દશમેશ રત્ન ધારણ કરવો જોઈએ ભાગ્યેશ રત્નને ભાગ્ય રત્ન કહેવામાં આવે છે

નોકરી મેળવવા માટે કે નોકરીમાં પ્રગતિ કરવા માટે રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે

નવી નોકરી મેળવવા માટે શ્રીયંત્રની પૂજા કરવી જોઈએ આ યંત્ર ધનની દેવી લક્ષ્મીજી નું યંત્ર છે આ યંત્રની શુક્રવારના દિવસે પૂજા કરવાથી તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે શ્રીયંત્રને ઘરના મંદિરની અંદર પણ સ્થાપિત કરીને નિયમિત પૂજા કરવી જોઈએ શ્રીયંત્રની સ્થાપના કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે

કોઈપણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જતા પહેલા ગાય માતાને એક રોટલી ખવડાવવી જોઈએ ગાય માતાને રોટલી ખવડાવવાથી તમારા શરીરની અંદર સકારાત્મક ઊર્જા વધી જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *