22 માર્ચ: વિશ્વ જળ દીવસ, ચાલો જાણીએ વિશ્વ જળ દિવસ વિશે

Uncategorized

દુનિયાના 400 કરોડ લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યાં છે, તેમાંથી ચોથા ભાગના લોકો એટલે કે 100 કરોડ લોકો તો ફક્ત ભારતમાં જ છે.

સાંપ્રત પ્રવાહો

લેખક:-દીપક જગતાપ

22 માર્ચ, વિશ્વ જલ દિવસ વિશ્વ ભરમાં ઉજવાય છે પ્રતિદિન પાણી ની વધતી જતી માંગ સામે પાણીનો જથ્થો ઓછો મળી રહયો છે.પ્રુથ્વિ પર ત્રણ ભાગ પાણી હોવા છતા આજે પાણી ની તંગી વર્તાઇ રહી છે. પાણી એ જીવન છે જેના વગર લાંબુ જીવી ન શકાય એ પાણીનો વિવેક પૂર્વક અને કરકસર પૂર્વક ઉપયોગ કરવાનો આજના જળ દિને સંકલ્પ કરવાનો વખત આવી ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે દસ વર્ષની જળ દિવસ નીએક ઝુંબેશની શરૂઆત કરી છે.એ ઝુંબેશનું લક્ષ્યાંક દુકાળ, પૂર અને પાણી સાથે જોડાયેલાં અન્ય જોખમો વિશે લોકોને માહિતગાર કરવાનું છે.
થોડા સમય પહેલાં વિશ્વનાં 11 એવાં શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં પીવાનું પાણી જરૂર કરતાં બહુ ઓછું હશે અથવા તો ખતમ થઈ જશે.એ યાદીમાં દક્ષિણ ભારતના બેંગલુરુ શહેરનું નામ પણ સામેલ છે.સંયુક્ત રાષ્ટ્રસંઘના અનુમાન અનુસાર, 2030 સુધીમાં પાણીની માગમાં 40 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં પાણીનું યોગ્ય રીતે વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો પાણી માટેની મારામારીમાં દેખીતી રીતે વધારો થશે.યુનાઈટેડ સ્ટેટસમાં કૃષિ કુલ પાણીનો 80-90 ટકા હિસ્સો છે, જે પર્યાવરણમાં ખોવાઇ જાય છે અથવા ઉત્પાદનોમાં સામેલ છે. કેલિફોર્નિયામાં સ્ટેટ વોટર રિસોર્સિસ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ ફેલિસિયા માર્કસે જણાવ્યું હતું કે, “પાણી એ એક મુદ્દો છે જે અમે લાંબા ગાળા માટે લઈ શકતા નથી – પછી ભલે આપણે પુરવઠા વિશ્વસનીયતા, પર્યાવરણીય સંરક્ષણ અથવા પાણીની ગુણવત્તાની તપાસ કરીએ છીએ.”
હજુ સુધી, કૃષિ જળ સંરક્ષણ વિશાળ કાર્યક્ષમતા લાભો માટે સંભવિત ધરાવે છે. યુ.એસ.ના પાકનો ઓછામાં ઓછો અડધો ભાગ પરંપરાગત, બિનકાર્યક્ષમ સિસ્ટમો સાથે સિંચાઈ કરવામાં આવે છે, જે સુધારણા માટે ઘણા બધા રૂમનું પ્રતિનિધિત્વ કરે છે. એફએઓ (FAO) મુજબ, વિકાસશીલ દેશોમાં ઝડપથી કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે પાણી-બચતની પ્રથાઓ માટે પણ સંભવિત છે; સિંચાઈ ટેકનોલોજીના આધુનિકીકરણ દ્વારા, વિકાસશીલ દેશોમાં માત્ર 14 ટકા વધુ પાણીનો ઉપયોગ કરીને 60 ટકા વધુ ખાદ્ય પેદા કરી શકે છે. નાના અને મોટા ખેડૂતો માટે ડીપ સિંચાઈ અને પાણીના રિસાયક્લિંગનો અમલ કરી શકાય છે, અને ગ્રાહકો ઓછા ઔદ્યોગિક માંસ ખાવાથી, સ્થાનિક ખોરાક પસંદ કરીને અને પાણીના સંરક્ષણ માટેના ખેડૂતોને મદદ કરીને તેમના પાણીના પગલા ઘટાડી શકે

આજે વિશ્વમાં ૧.૫ અબજ નાગરિકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું. વધતી જતું પ્રદુષણના લીધે ભુગર્ભ જળ પ્રદુષિત થઇ રહયું છે. અને પાણી જન્‍ય રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ભારત પણ આ સમસ્‍યાથી બાકાત નથી. આપણા દેશના ભુગર્ભ જળમાં ફ્‌લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્‍વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. તેમ રાજ્‍યના માહિતી વિભાગની યાદી જણાવે છે.

દેશનો 50 ટકા હિસ્સો દુષ્કાળ ગ્રસ્ત છે. દુનિયાના 400 કરોડ લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યાં છે, તેમાંથી ચોથા ભાગના લોકો એટલે કે 100 કરોડ લોકો તો ફક્ત ભારતમાં જ છે. પાણીનો યોગ્ય ઉપયોગ કરાશો તો જ પાણીના આ સંકટમાંથી બહાર આવી શકશો.દુનિયાના કુલ ગ્રાઉન્ડ વોટરના 24 ટકા પાણી જ ભારતીયો વાપરે છે

દેશના 100 કરોડ લોકો પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યાં છે. આ આંકડો દુનિયાભરમાં પાણીની તંગીનો સામનો કરી રહેલા લોકોના 25 ટકા છે. વોટર એડના રિપોર્ટ અનુસાર દુનિયાના કુલ ગ્રાઉન્ડના 24 ટકા આપણે ઉપયોગમાં લઇએ છીએ. યૂએસએડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષે ભારત જલ સંકટવાળો દેશ બની જશે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા જારી નિર્દેશ અને નિશ્વિત માત્રાની તુલનામાં ગ્રાઉન્ડવોટરનું 70 ટકા વધુ ઉપયોગ થઇ રહ્યો છે. તેનાથી દર વર્ષે જલસ્તર 10 સેમી નીચે જઇ રહ્યું છે.
આ કારણે આજે પાણી બચાવવુ જરૂરી

પાણી અંગેના કેટલાક તારણો:

( ૧) દિલ્લી, મુંબઈ, ચેન્નઈ જેવા મોટા શહેરોમાં નળ અને વાલ્‍વમાં લીકેજ ના લીધે ૧૭% થી ૪૪% પાણી ગટર માં વ્‍યર્થ જાય છે.

( ર) ભારતના કેટલાક રાજયોની મહિલાઓ પીવાના પાણી માટે રોજના સરેરાસ ૪ થી ૬ કિમી પગપાળા જાય છે.

( ૩) જો બ્રશ કરતા સમય નળ ખુલ્લો રહી જાયે તો પાંચ મિનીટમાં આશરે ૨૫ થી ૩૦ લીટર પાણીનું વ્‍યય થાય છે.

( ૪) નહાવા માટેના ટબ નો ઉપયોગ કરતા ૩૦૦ થી ૫૦૦ લીટર પાણીનો વ્‍યય થાય છે જયારે સામાન્‍ય રીતે નહાવાથી ૧૦૦ થી ૧૫૦ લીટર પાણીનો ખર્ચ થાય છે.

( પ) વિશ્વમાં ૧૦ વ્‍યક્‍તિઓમાં થી ૨ વ્‍યક્‍તિઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળતું નથી.

( ૬) વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્‍લાસ્‍ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્‍લાસ્‍ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે.

( ૭) મનુષ્‍ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.

( ૮) પૃથ્‍વી ગ્રહ પર ૭૦% થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી

દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે. ફક્‍ત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્‍વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્‍પ રૂપે જોવા મળે છે. જેમાં ઉપયોગમાં આવતો ભાગ ખુબ જ ઓછો છે. જે નદી, ઝીલ તથા ભૂગર્ભ જળના સ્‍વરૂપમાં જોવા મળે છે. આ પાણીનો ૬૦મો ભાગ ખેતી અને ઉદ્યોગોના કારખાનામાં વપરાય છે. બાકીનો ૪૦મો ભાગ મનુષ્‍યના વપરાશમાં ખર્ચ થાય છે. દુનિયામાં હાજર રહેલ કુલ પીવાલાયક પાણીમાં માત્ર ૧% પાણી પયોગ માટે સરળતાથી પ્રાપ્‍ત થાય છે.

*પાણી કેવી રીતે બચાવી શકાય.?:-

૧) રોજ કપડા ધોવાને બદલે બે દિવસે ભેગા કરીને ધોવાનું વિચારો જેથી વેસ્ટ પાણીને અન્ય કામો જેવા કે જાજરૂ સાફ કરવામાં પાણી ઉપયોગ લઈ શકાય., કનિદૈ લાકિઅ

(૨) નાહવાની અકિલા ડોલમાં ટબની સાઈઝ નાની રાખીએ જેથી પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકીએ.

(૩) ઘરે પધારેલ મહેમાનોને નાના ગ્લાસમાં પાણી આપી શકાય, કનિદૈ લાકિઅ પૂછીને આપવું, જગથી આપવું જેથી સાફ પાણી ફેંકી ન દેવું પડે.

(૪) બ્રશ કે દાઢી અકીલા કરતી વખતે ગેંડીનો નળ ચાલુ ન રાખવો, પાણી ભરેલ ટમ્બલર રાખો.

(૫) પીવાના પાણીના માટલા પાસે, પાણિયારા પાસે ડોલ મૂકી વધારાનું પાણી ગટરમાં જવા દેવાનો બદલે ડોલમાં નાખો જે પાણી પોતું કરવામાં, બગીચામાં કનિદૈ લાકિઅ વૃક્ષોને પાવા માટે પામશે.

(૬) ઉનાળામાં બે- ત્રણ વખત સ્નાન કરવાને બદલે સ્પંજ કરો.

(૭) કાર, સ્કૂટર ધોવાને બદલે ભીના પોતાંથી સાફ કરો, પાણીની કનિદૈ લાકિઅ નળીથી ગાડી સાફ કરો નહીં.

(૮)સંડાસમાં ઘણા લોકો પાણીની નળી મુકી દેતા હોય છે, સેફટી ટેન્ક સાફ કરવાના હેતુથી તે નુકશાનકર્તા છે.,

(૯) ટપકતા નળોને તાત્કાલીક રીપેર કરાવવા એક નળમાંથી એક દિવસના અંતે અઢાર લીટર પાણીનો વ્યય થાય છે. મોટાભાગના ફલેટમાં આ સમાધાન થતા નથી.,

(૧૦) ખેતી કનિદૈ લાકિઅ વાડીમાં ખુલ્લા ધોરીયાથી પિયત કરવાને બદલે ડ્રીપ ઈરીગેશન કે અનડર ગ્રાઉન્ડ પાઈપ પાથરીને ખેતીમાં પાણીનો ઉપયોગ કરવો.

પાણી એ જીવન છે,એનુ જતન કરો:-

માણસ ભોજન લીધા વિના લગભગ 20 દિવસ સુધી જીવતો રહી શકે, પણ પાણી વગર ત્રણ-ચારથી વધારે દિવસ જીવવું મુશ્કેલ છે.તેનો એક જ જવાબ છેઃ ડિહાઈડ્રેશન. એટલે કે શરીરમાં પાણીની માત્રામાં જોરદાર ઘટાડો.બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર, ડિહાઈડ્રેશન એવી અવસ્થા હોય છે જ્યારે તમારું શરીર જેટલી માત્રામાં પાણી છોડી રહ્યું હોય છે એટલી માત્રામાં તેને પાણી મળી રહ્યું હોતું નથી.નાનાં બાળકો અને વયોવૃદ્ધોમાં ડિહાઈડ્રેશનનું જોખમ સૌથી વધુ હોય છે. તેના પર યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો ડિહાઈડ્રેશન જીવલેણ સાબિત થઈ શકે છે.

પાણી ન મળે તો મોત કેવી રીતે થાય?:-

શરીરમાં પાણીની માત્રા ઘટે ત્યારે સૌથી પહેલાં મોં સૂકાય છે, તરસ લાગે છે. એ ડિહાઈડ્રેશનની પહેલી નિશાની છે.એ પછી પેશાબનો રંગ એકદમ પીળો થવા લાગે છે. તેમાં દુર્ગંધ વધી જાય છે.ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, શરીરમાં પાણી ઘટવાથી લોહીમાં સુગર તથા સોડિયમનું સંતુલન ખોરવાય જાય છે. તેથી આવું થાય છે.
થોડા કલાકો પછી થાકની અનુભૂતિ થવા લાગે છે. બાળકો રડે તો છે, પણ તેમને આંસુ આવવાનું બંધ થઈ જાય છે.એ પછીની કેટલીક કલાકોમાં પેશાબની માત્રા એકદમ ઘટી જાય છે. કેટલાક લોકોને ચક્કર આવવા લાગે છે અને આંખોમાં થાક અનુભવાય છે.
બીજા દિવસે વધારે ઊંઘ આવે છે. શરીર કોઈ પણ ભોગે પાણી બચાવવાના પ્રયાસ કરવા લાગે છે.ડાયાબિટીસના, હૃદયરોગના દર્દીઓ તથા અતિસારથી પીડાતા લોકોમાં આ લક્ષણો વહેલાં જોવા મળી શકે છે.
બીજા દિવસના અંત સુધીમાં પેશાબનો અંતરાલ આઠ કલાકથી વધારેનો થઈ જાય છે.
ધબકારા ઝડપી બની જાય છે. ત્વચા પર પાણીની ઓછપ સ્પષ્ટ દેખાવા લાગે છે.
લોકો કંઈ નિહાળી શકતા નથી અથવા તો તેમની દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે.
નબળાઈ એટલી વધી જાય છે કે ઊભા રહેવામાં પણ તકલીફ થવા લાગે છે. હાથ-પગ ઠંડા પડતા જાય છે.

ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, દિવસમાં આપણે જેટલીવાર ખાઈએ એટલીવાર પાણી તો જરૂર પીવું જોઈએ.પાણી ઓછું પીવાથી કિડની સંબંધી તકલીફો થવાની શક્યતા વધી જાય છે. પાચનતંત્ર ખરાબ થાય છે અને લોહીની ગુણવત્તા બગડે છે.
હોર્મોન બનાવવા માટે પાણીની જરૂર હોય છે.
શરીરમાં પાણીથી લાળ બને છે, જે પાચનક્રિયા માટે જરૂરી હોય છે.
શરીરનું ઉષ્ણતામાન પાણીના પ્રમાણને આધારે નક્કી થાય છે.
શરીરમાંના કોષોમાં પાણીના આધારે વૃદ્ધિ થાય છે અને નવા કોષો તૈયાર થાય છે.
શરીરમાંની ગંદકી બહાર લાવવા માટે પાણી જરૂરી હોય છે.
હાડકાંઓના સાંધા વચ્ચેની ચિકાશ અને ત્વચામાંની ભીનાશ જળવાઈ રહે એ માટે પાણી જરૂરી હોય છે.
શરીરમાં ઓક્સિજનનું જરૂરી પ્રમાણ જાળવી રાખવા માટે પણ પાણી જરૂરી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *