જો નાસ્તાની વાત કરવામાં આવે તો ગુજરાત અને તેના લોકો નાસ્તા માટે ખાસ જાણીતા છે ગુજરાતના અલગ અલગ જિલ્લાની એક અનોખી ઓળખ છે. તેમજ આ બધાજ જિલ્લાઓ નો એક ખાસ અને સ્વાદિષ્ટ બનાવટો પણ જોવા મળતી હી છે તેવીજ રીતે આજે તમને જામનગરના ઘૂઘરાની કહાની વિષે જણાવીશું જેનો સ્વાદ એવો કે શિયાળની ઠંડી ઉડાવી દેશે.
આવો તમને આ તીખા અને તમતમતા ઘૂઘરા વિષે વિગતે જણાવીએ.મિત્રો તમે જ્યારે પણ જામનગર જાવ તો ત્યાંના ઘૂઘરાનો સ્વાદ એક વાર જરૂર માણજો. આ ઘુઘરાને મોંમાં મૂકતા જ બે મિનિટ માટે સૂસવાટાની સટાસટી બોલવી દે તેવા ઘૂઘરા અહીંની સ્પેશિયાલિટી છે.
તેમજ જણાવીએ તો જામનગર શહેરમાં આવેલા પંચેશ્વર ટાવર ચોકમાં કોર્નર પર એક લારી હશે અને એ લારીની ચારેય બાજુ લોકોનું ટોળું જોવા મળે તો તમારે સમજી લેવાનું કે આ કોઈ બીજું નહીં પણ બાબુભાઈ ઘૂઘરાવાળાની લારી છે. ઘૂઘરા ખાવાનું મન થાય ત્યારે જામનગરી હોય કે કોઈપણ શહેરની વ્યક્તિ એક જ નામ લે છે અને એ છે બાબુભાઈ.
બાબુભાઈના મગદાળના ઘૂઘરાનો વર્ષોથી એક જ સરખો સ્વાદ છે. તો ટેસ્ટ ઓફ ગુજરાતમાં આજે વાત જામનગરના મગદાળના ઘૂઘરાની. વાત ક્રેઈ તો આ ઘુઘરાંની સાથે મરચાં, ખજૂર, ગોળ આંબલીની બનાવેલી ચટણી આપવામાં આવે છે જી આ ઘૂઘરાના સ્વાદમાં વધારો છે. જામનગરના ઘૂઘરા એટલા સ્વાદિષ્ટ છે કે લોકો દૂર દૂરથી આ ઘુઘરાનો ટેસ્ટ કરવા આવે છે.
આ સાથે જો જણાવીએ તો ગુજરાતમાં રાજકોટ, સુરત, અમદાવાદ, મોરબી, આણંદ સહિતનાં શહેરોમાં પણ બાબુભાઈના ઘૂઘરાની ડિમાન્ડ છે. તેની સાથે સાથે રાજકીય અને સામાજિક કાર્યક્રમો અને લગ્નપ્રસંગમાં પણ પહેલી પસંદ તો બાબુભાઈના ઘૂઘરા જ છે.ગુજરાતમાં તો ઠીક પરંતુ બાબુભાઈના ઘૂઘરાનો સ્વાદ જામનગરથી અમેરિકા સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત દુબઈ,આફ્રિકા સહિતના વગેરે દેશોમાં પણ બાબુભાઈના ઘૂઘરા પહોંચે છે. જે ખુબજ ગર્વ ની વાત છે ખાસિયતની વાત કરીએ તો વિદેશ મોકલવામાં આવતા ઘુઘરાને આઠ દિવસ સુધી કંઈ થતું નથી અને લોકો આનંદથી જામનગરી ઘૂઘરાનો સ્વાદ માણી શકે છે.
આમ આ અંગે બાબુભાઈ ઘૂઘરાવાળાના નાનાભાઈ કિશોરભાઈ રાઠોડે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લાં 48 વર્ષથી અમારી ત્રણ પેઢીથી ઘૂઘરાનો વ્યવસાય ચાલે છે. મારા પપ્પા બનાવતા હતા, મોટોભાઈ પણ બનાવે છે અને એમનો દીકરો પણ ઘૂઘરા જ બનાવે છે. આ અમારો ફેમિલિ બિઝનેસ છે. અમારા પરિવારના 22 સભ્યો સવારના 7 વાગ્યાથી ઘૂઘરા બનાવવામાં લાગી જાય છે, જે રાતના 9.30 વાગ્યા સુધી ઘૂઘરા બનાવે છે.
સામાન્ય રીતે એક ઘૂઘરો બનાવવામાં તો 2 મિનિટનો સમય જ લાગે છે, પરંતુ તેમા સ્ટફિંગ કરવામાં સવારના 9થી 1 કલાક સુધીનો સમય લાગે છે.આમ આ સાથે કિસ્સહોર ભાઈએ વધુમાં જણાવ્યું કે, ઘૂઘરાનો સ્વાદ જળવાઈ રહે તે માટે બધી એક જ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. અહીં કોઈ લગ્નપ્રસંગમાં પણ જો મહેમાન આવ્યા હોય તો પણ તેઓ ઘૂઘરાનો સ્વાદ માણવા આવી પહોંચે છે. જ્યારે ઘૂઘરાની રેસિપિ અંગે વાત કરતા કિશોરભાઈએ કહ્યું કે, ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલા મેંદાનો લોટ, ચણાની દાળ, મગછળી દાળ લેવામાં આવે છે.
મેંદાનો લોટ તૈયાર કર્યા પછી તેના ગોયણા(લૂવા)કરીને વણવામાં આવે છે, ત્યારબાદ તેમાં ચણાની દાળ અને મગની છળીદાળ ભરવામાં આવે છે. ત્યાર પછી તેને તેલમાં તળવામાં આવે છે. ઘૂઘરા પાંચ મિનિટ સુધી તેલમાં તળવામાં આવે છે. ત્યારબાદ ઘૂઘરા તૈયાર થઈ જાય છે. આમ મિત્રો જો ટામે જામનગર જાવ તો જરૂર બાબુભાઇના તીખા તમતમતા ઘુઘરાનો સ્વાદ જરૂર માણજો.