આ પાંચેય મિત્રો એકસાથે કામ માટે જતા હતા અને રસ્તા માં થયું એવું કે ત્રણ મિત્રો હમેશા માટે ચાલ્યા ગયા….ઓમ શાંતિ

Latest News

માર્ગ અકસ્માતના આવા અસંખ્ય કિસ્સાઓ દિન પ્રતિદિન બનતા રહે છે અને આવી ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. આવી ઘટનાઓમાં ક્યારેક અનેક પરિવારો બરબાદ થઈ જાય છે અને અનેક બાળકો નિરાધાર બની જાય છે. હાલમાં સુરતમાં આવો જ એક દુઃખદ અકસ્માત સર્જાયો છે જેમાં એક જ સમયે ત્રણ મિત્રોએ પોતાની આંખો ગુમાવી છે.

સુરતના મહુવાના વાઘલધરા ગામ પાસે કાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં આ ટક્કર એટલી ગંભીર હતી કે એક સાથે ત્રણ યુવકોના મોત થયા હતા. આ પાંચેય યુવકો નવસારીના ચીખલીના હતા અને મૃતક પણ ચીખલીના જ હતા. આ પાંચેય મિત્રો અર્ટિગા કાર લઈને જઈ રહ્યા હતા.

અચાનક ડ્રાઇવરે તેના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને કાર રોડની બાજુમાં એક ઝાડ સાથે અથડાઈ. જેમાં ત્રણ મિત્રોના મોત થયા હતા અને બે યુવાનો જેમાં નિલેશભાઈ અને પરિમલભાઈ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી.

આવી ઘટનાઓ પછી ઘણા લોકો ઘાયલ થાય છે, તેવી જ રીતે મોટી ઘટનાઓ બને છે. બંને મિત્રોની નજર સામે જ તેના ત્રણ મિત્રો કાયમ માટે ઝબકી ગયા છે અને આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *