PM મોદીએ કૃષિ કાયદા પાછા લેતા પ્રકાશ રાજ બોલ્યા- ખેડૂતોએ રાજાને નમાવી દીધા

trending

પ્રકાશ રાજને સોશિયલ મીડિયા પર પોતાની વાત નીડરતાથી રજૂ કરવા માટે ઓળખવામાં આવે છે. પ્રકાશ રાજે કૃષિ કાયદાઓને પાછા લેવાના પ્રધાનમંત્રી મોદીના એલાન પર ટ્વીટ કરી છે. પ્રકાશ રાજે આ ટ્વીટમાં ખેડૂતોના સંઘર્ષની પ્રશંસા કરી છે. આ રીતે ખેડૂતોની જીત પર તેમની આ ટ્વીટ ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો આ કવિતાને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

પ્રકાશ રાજે પ્રધાનમંત્રી મોદીના આ એલાન પર ટ્વીટ કરતા લખ્યું કે, મારા દેશના સંઘર્ષ કરનારા ખેડૂતોએ રાજાને નમવા માટે મજબૂર કરી દીધા. અનિયા નાયરની આ કવિતા મેં વાંચી હતી જે કૃષિ કાયદાઓ સામે ખેડૂત આંદોલનના પક્ષમાં હતી. પ્રકાશ રાજ દ્વારા અંગ્રેજીમાં વાંચવામાં આવેલી આ કવિતાના શબ્દો પણ ખાસ્સા ઊંડા છે. પ્રકાશ રાજની આ ટ્વીટ ખૂબ વાંચવામાં આવી રહી છે અને તેના પર લોકોના ખૂબ રિએક્શન પણ આવી રહ્યા છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગયા વર્ષે ૩ કૃષિ કાયદાઓ લાવી હતી. જેનો દેશભરના ખેડૂતોએ ખૂબ વિરોધ કર્યો. દેશના અન્નદાતાઓ પાછલા એક વર્ષથી આ કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. આખરે તેમનો આ શાંતિપૂર્ણ વિરોધ કામ આવ્યો અને કેન્દ્ર સરકારે આ ત્રણ કાયદા પાછા ખેંચી લીધા છે.

દેશના ખેડૂતો, સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. સરકાર સારી નિયતથી આ કાયદા લઈને આવી હતી. કદાચ અમારી તપસ્યામાં ઓછી પડી. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાતચીતનો પ્રયાસ કર્યો. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો. અમે કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *