પ્રેમી પંખીડાએ એકબીજા ની હાથ દુપટ્ટા થી બાંધી ને નદી મા લગાવી મોત ની છલાંગ….જાણો વિગતે

ગુજરાત

મહિસાગરના ખોડિયાર બ્રિજ પરથી લવ બર્ડે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને લવ બર્ડના મૃતદેહ એકબીજા સાથે બાંધેલા મળી આવ્યા છે. મહીસાગર: મહીસાગરના ખોડિયાર બ્રિજ પરથી એક લવબર્ડે આપઘાત કર્યો હતો. બંને લવ બર્ડના મૃતદેહ એકબીજા સાથે બાંધેલા મળી આવ્યા છે. ખોડિયાર બ્રિજ પર પોલીસને બ્રિજ પરથી ફેંકેલી બાઇક અને ચંપલ મળી આવ્યા હતા.

તેણે પુલ પરથી મોતની છલાંગ લગાવી હોવાનું અનુમાન કરતાં પોલીસે વહેલી સવારથી સ્થાનિક તરવૈયાઓની મદદથી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક તરવૈયાઓ, સ્ટેટ એનડીઆરએફ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. બંને મૃતદેહને કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. કડાણા તાલુકાના મહીસાગર નદી પરના ખોડિયાર પુલ પાસેથી ગઈકાલે એક યુવક-યુવતીના બાઇક અને કપડાં મળી આવ્યા હતા. બ્રિજ પરથી ચંપલ અને બાઇક મળી આવતા કડાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાઃ થરાદના સેરળ પાસે સામૂહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. એક પિતાએ બે પુત્રીઓ સાથે કુવામાં પડીને આપઘાત કર્યો. ગ્રામજનોએ ભારે જહેમતથી મૃતદેહ બહાર કાઢ્યા હતા.

જ્યાં પિતા વિક્રમ દરજીએ તેમની બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હતી તે સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આત્મહત્યા કરતા પહેલા વિક્રમ દરજીએ દવાની બોટલ સાથે તેની બંને દીકરીઓનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આપઘાતનું કારણ અકબંધ છે. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *