શંખના આટલા ફાયદા કદાચ તમે નહીં જાણતા હોય ઘરમાં આ રીતે શંખ રાખતા થાય છે ચમત્કાર

Astrology

હિંદુ ધર્મમાં શંખને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેમજ પૂજા પાઠ કરતા સમયે શંખનો ઉપયોગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ઘણા હિન્દુ ઘરમાં પૂજા પછી રોજ શંખ વગાડવામાં આવતો હોય છે. શંખ વગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ સિવાય શંખ આપણા માટે બીજી ઘણી રીતે ફાયદાકારક છે. શંખનો ઉપયોગ પૂજાપાઠ આપનું સ્વાસ્થ્ય અને ધન-સંપત્તિ સાથે પણ જોડાયેલા છે.

શંખ એક પવિત્ર વસ્તુ માનવામાં આવે છે જેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને ધારણ કરે છે. જે ઘરમાં શંખ રાખવામાં આવતો હોય ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા રહેતી હોય છે.

કરોડપતિ બનવા માટે શંખ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય હતો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા પછી શંખ વગાડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

શંખમાં પાણી ભરીને માતા લક્ષ્મી અને શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ આ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થતા હોય છે અને તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

શંખ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. રોજ સવારે શંખ વગાડવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ ફેફસા મજબૂત થતા હોય છે.

જે લોકોને હાડકા દુખતા હોય તેવા લોકોએ શંખમાં રાખેલું પાણી પીવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે પાણીમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને ગંધક હોય છે જે હાડકા મજબુત કરે છે.

નિયમીત શંખ વગાડવાથી ઘરમાં લાગેલો વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી હોય છે. તેમજ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *