આપણા હિન્દુ ધર્મમાં દરેક દિવસનું મહત્વ રહેલું છે તેમાં શનિવાર અને મંગળવારનો દિવસ હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનું શુભ દિવસ માનવામાં આવે છે શનિવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે આ દિવસે હનુમાનજીની ભક્તિ કરવાથી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે
એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી હનુમાનજી પ્રસન્ન થતા હોય છે તેમજ ભક્તની દરેક મુશ્કેલીઓ દૂર કરતા હોય છે અને તમારી કિસ્મત પણ બદલાઇ શકે છે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા બધા ભક્તો અલગ-અલગ ઉપાય કરતા હોય છે
શનિવારના દિવસે મંદિરમાં જઈને હનુમાન દાદાની પૂજા-અર્ચના કરવી જોઈએ તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ઘણા બધા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા પ્રકારના પ્રસાદનો ભોગ અર્પણ કરતા હોય છે
તમામ પ્રકારના સંકટોથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં શનિવારના દિવસે કરવામાં આવતા ઘણા બધા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે હનુમાનજીની પૂજા કરતા સમયે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે એવું માનવામાં આવે છે કે હનુમાનજી નારાજ થઈ જાય તો મનુષ્યને સર્વનાશ થઈ જાય છે
શનિવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને તેલનો દીવો સળગાવીને હનુમાનજીના મંત્રનો જાપ 108 વખત કરવો જોઈએ તેમજ હનુમાન મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કે હનુમાન મંત્ર બોલવા જોઈએ આ ઉપાય કરવાથી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમજ હનુમાનજીના આશીર્વાદ તમારી કિસ્મત રાતોરાત બદલાઈ જશે