કોરોના સામે સલામતીનો સંદેશો આપતી રાખડીઓ બનાવતા અમદાવાદના આ વ્યક્તિ વિશે જાણો વિશેષ માહિતી, જાણો રાખડી ની ખાસ વિશેષતાઓ.

Uncategorized

ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ તહેવાર માં બહેન પોતાના ભાઈ પાસેથી રક્ષણ ની ભેટ મેળવે છે. બહેન પણ ભાઈ ના જમણા હાથે રાખડી બાંધી ને ભાઈ ના જીવન ના ડગલે ને પગલે દરેક પરિસ્થિતિ વચ્ચે પણ સલામતી ની સાથે સફળતા ની મનોકામના પૂર્ણ કરે છે.

કોરોના કાળ માં રક્ષાબંધન ના પવિત્ર પર્વે કોઈ પણ ભાઈ – બહેન કોરોના સામે ના રક્ષણ ની જંખના રાખતી હોય છે તે સ્વાભાવિક છે. ભાઈ ના કાંડા પર રાખડી બાંધી ને ભાઈ કોરોના થી સુરક્ષિત રહે બહેન ને પણ કોરોના નામ નો રાક્ષક હાનિ ન પહોંચાડે તે માટે ભાઈ – બહેન પરસ્પર એક બીજા માટે આ પર્વ ના દિવસે પ્રાર્થના પણ કરશે.


દેશભરમાં કરોડો લોકો રક્ષાબંધનનું પર્વ ઉજવે છે ત્યારે આ તહેવારના માધ્યમથી પણ લોકોમાં કોરોના સામેની સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય, સજાગતા કેળવાય તે માટે અમદાવાદના ઇકબાલભાઇ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. ઇકબાલભાઇએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે.


આ વર્ષે કોરોનકાળ વચ્ચે જયારે રક્ષાબંધન નો તહેવાર ઉજજવાનો હોય ત્યારે બજારમાં અન્ય રાખડીઓ ની સાથે કોરોના ના સંદેશ આપતી રાખડી હાલ માં બજાર માં ઉપલબ્ધ છે. બજાર માં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકો ને ખુબ જ પસંદ પણ આવી રહી છે.


આ વ્યક્તિ ના પિતા જ્યારે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં પિતાની સારવાર ચાલી રહી હતી. એક દિવસ સારવાર વેળાએ કેન્સર હોસ્પિટલના તત્કાલીન ડાયરેક્ટર ડૉ.પંકજ શાહને પોતાના રાખડીઓના વ્યવસાયથી માહિતગાર કર્યા. ત્યારે ડૉ.પંકજ શાહે તેમનામાં રાખડીના માધ્યમથી સમાજઉપયોગી બનવા કેન્સરની જનજાગૃતિના સંદેશા ફેલાવવાનો વિચારબીજ રોપ્યો. બસ ત્યારથી ઇકબાલભાઇએ સમાજોત્થાનનો નિર્ધાર કરીને કેન્સર સાથેના અન્ય લોકઉપયોગી વિષયક જનજાગૃતિ વાળી રાખડીઓ બનાવીને જનકલ્યાણના યજ્ઞનો આરંભ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *