શું અનુપમા નો હાલ પણ તારક મહેતા જે થશે કે, સમર પછી આ મેઈન રોલ કરતી સુંદર અભિનેત્રી છોડશે શો…

Bollywood

અનુપમા સિરિયલના આ દિવસોમાં ખૂબ જ રસપ્રદ એપિસોડ જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા પારસ કાલનવતે અનુપમા સિરિયલ છોડી દીધી છે. અનુપમા સિરિયલની અન્ય એક અભિનેત્રીએ પણ અનુપમા શોને અલવિદા કર્યાના સમાચાર મળી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જાણવા મળ્યું છે કે આ પાત્રનું મૃત્યુ શોમાં બતાવવામાં આવશે. ટાઈમ્સ નાઉના એક અહેવાલ મુજબ, અનુપમા સિરિયલ એટલે કે નિધિ શાહે આ સિરિયલ છોડવાનું મન બનાવી લીધું છે અને મેકર્સને પણ કહ્યું છે. અહેવાલ મુજબ, જાણવા મળ્યું છે કે નિર્માતાઓ નવી અભિનેત્રીને શોધવાને બદલે કિંજલના રોલને ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે.

શોમાં અનુપમા સિરિયલના આગામી એપિસોડમાં, તે જોવા મળશે કે અનુપમા તેના સમગ્ર પરિવાર સાથે અને અનુજ ખૂબ જ ધામધૂમથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરશે. પૂજા દરમિયાન કિંજલને લેબર પેઇનનો અનુભવ થશે. ત્યારબાદ કિંજલને જન્મ આપતી અને મરતી બતાવવામાં આવશે.

પરંતુ તે શોમાં બતાવવામાં આવશે કે નહીં તે તો સમય જ કહેશે. આ પછી પારસે મેકર્સ અને અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પર ઘણા ખુલાસા કર્યા. બહુ ઓછા લોકો જાણે છે કે પારસ અને નિધિ શાહ ખૂબ સારા મિત્રો છે. પારસ પણ નિધિને મળવા માટે થોડા દિવસો પહેલા શોના સેટમાંથી બહાર આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *