સુથાર નેસડી માઇનોર કેનાલમાં પંદર ફૂટ નું ગાબડું. ઉભા પાક ના ખેતરોમાં પાણી ફરી વળ્યા.

Uncategorized

સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેતા વહેલી સવારે વધુ એક ગાબડું પડ્યું ભાભર ના સુથાર નેસડી ગામે માઈનોર કેનાલમાં પંદર ફૂટ નું ગાબડું પડતાં ઉભા પાક ના ખેતર માં પાણી ફરી વળતા ખેડૂતો ને નુકસાન જવા ની સંભાવના સેવાઈ રહી છે સરહદી વિસ્તારમાં કેનાલો ક્યાંક આશિર્વાદ રૂપ બનતી હોય છે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતો માટે મુશ્કેલી રૂપ સાબિત થતી હોય છે ભષ્ટ્રાચાર ની કેનાલમાં ગાબડાં પડી રહ્યા હોય તો ખેડૂતો મોટું નુક્સાન ભોગવવાનો વારો આવે છે.

સરદાર સરોવર ડેમ માં પાણી અછત ના કારણે પંદર માચૅથી કેનાલમાં સિંચાઈ નું પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ રીતે કેનાલોમાં ગાબડાં પડતાં લાખો લીટર પાણી નો વેડફાટ થાય છે સિંચાઈ ના પાણી ની આદત ઉભી થતી હોય તો કેનાલમાં ભષ્ટ્રાચાર થયો તેના ખેડૂતો ના આક્ષેપ થઈ રહ્યા હોય તો પછી કેમ સરકાર દ્વારા અધિકારીઓ કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કાયૅવાહી કરતી નથી તે પણ એક પ્રશ્ન છે કે પછી સરકાર ને કાયૅવાહી કરવામાં કર્યો ગ્રહ નડે છે??

ગુજરાત ની અસ્મિતા ભાભર
તસવીર-પ્રવિણસિંહ રાઠોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *