જો છોકરાઓ એકલા ફોરવીલ લઈને આંટા મારતા હોય તો ચેતી જજો, આ સુરતના ચાર યુવકો મુંબઈ એરપોર્ટ થી આવતા હતા અને ગુમાવ્યા….

Latest News

આજે માર્ગ અકસ્માતની ઘટનાઓ ઘટવાનું નામ નથી લઈ રહી અને અનેક લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે. આજે રાજ્યભરમાં માર્ગ અકસ્માત વિના એક પણ દિવસ પસાર થતો નથી, હાલમાં નવસારીના

ચીખલી નજીક અલીપુર પુલ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત થયો હતો, કારમાં સવાર યુવકો બેંગકોકથી મુંબઈ

એરપોર્ટ પર આવ્યા હતા અને ત્યાંથી કારમાં સુરત જઈ રહ્યા હતા. જેમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર અમિતભાઈ, ગૌરાંગભાઈ, રોહિતભાઈ અને મહંમદભાઈ સુરતના રહેવાસી હતા.આ ઘટનામાં તેમની સાથે કારમાં બેઠેલા ઋષિભાઈ અને વિકાસભાઈ નામના અન્ય

બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ યુવકો સુરતમાં તેમના ઘરે પહોંચે તે પહેલા જ આ ઘટના બની હતી અને ગંભીર રીતે ઘવાયેલા ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કાર ચાલકે

કાબુ ગુમાવતાં કાર ડિવાઈડરની વિરુદ્ધ દિશામાં જતાં ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં એક સાથે ચાર યુવકોએ જીવ ગુમાવ્યો હતો અને બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે તેના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ તો બધા ખૂબ જ દુઃખી થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *