જીવનનું એક સત્ય છે કે મુર્ત્યું જેને આપણે કોઈ બદલી શકવાના નથી. આ સંસારમાં જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ થવાનું જ છે. જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેને થોડીવાર માટે પણ તેને રાતના સમયે એકલું મુકવામાં નથી આવતું. આપણા હિન્દૂ ધર્મમાં રાત થવા પર અંતિમ સંસ્કાર પણ નથી કરતા. તે મૃતદેહને રાત્રે ઘરમાં બધાની વચ્ચે રાખવામાં આવે છે.
તમે સાંભર્યું હશે કે જે પ્રાણી જન્મ લઈને ધરતી પર આવે છે તેને એક દિવસ બધું ત્યાગ કરીને જવું પડે છે. જન્મના સમયે જ મૃત્યુનો સમય નક્કી થઇ ગયો હોય છે. એટલા માટે હિન્દૂ ધર્મમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની અંતિમક્રિયા ખુબ મહત્વની માનવામાં આવે છે. તમે ક્યારેય આ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે કેમ રાતના સમયે અંતિમ વિધિ નથી કરવામાં આવતી.
રાતના સમયે મૃતદેહને સ્મશાને નથી લઇ જવામાં આવતો. પરંતુ રાતના સમયે મૃતદેહને તુલસીના છોડ પાસે રાખવામાં આવે છે અને તે મૃતદેહને એકલો મુકવામાં નથી આવતો. કારણકે મૃત વ્યક્તિનો આત્મા ત્યાંજ ભટકતો રહે છે. એવું કહેવામાં આવે છે કે મૃત્યુ પછી શરીર ખાલી થઇ જાય છે. તેવા સંજોગોમાં દ્રુષ્ટ આત્મા તેના શરીર પર કબ્જો કરી શકે છે. માટે રાતના સમયે શરીરને એકલું ન રાખવું જોઈએ.
તે સિવાય કોઈ પાલતુ પ્રાણી જેવા કે બિલાડી, કૂતરું જેવા પ્રાણી આવીને મૃત દેહને નુકશાન ન પહોંચાડે એટલા માટે તેને એકલું મુકવામાં નથી આવતું. મૃતદેહને હંમેશા સૂર્યાસ્ત પહેલા અથવા સૂર્યોદય પછી જ સ્મશાને લઇ જવામાં આવતો હોય છે.